BRC કિરીટ પટેલને રાષ્ટ્રીય કક્ષાનો 'કર્મયોગી રોલ મોડલ' અને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ...
- Praja Pankh
- Feb 11, 2022
- 2 min read

ઓલપાડનાં બી.આર.સી.કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલને 'શૈક્ષણિક વ્યવસ્થાપન ક્ષેત્રમાં નવીનીકરણ' ની પ્રસંશનીય કામગીરી માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા.....

પ્રજાપંખ સચિન : તા.૧૧ કોઈપણ દેશનાં સર્વાંગી વિકાસ માટે એક સુઆયોજિત શૈક્ષણિક નીતિ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અમલથી દેશ આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન માટે સજ્જ બન્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ - 2022 નાં ભાગરૂપે આયોજિત બે દિવસીય 'ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂશન' નો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનો ધ્યેય પરિપૂર્ણ કરવા NAP નાં માધ્યમથી વિશ્વભરનાં પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, યુનિવર્સિટીનાં તજજ્ઞોનું આ વિચાર મંથન ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવશે.
દેશમાં થયેલા સામાજિક અને આર્થિક પરિવર્તનને, જાહેર જીવનની વાસ્તવિકતાઓને, અનુકૂલનને મહત્તમ કરવા માટે શિક્ષણ પ્રણાલીનાં આધુનિકીકરણની જરૂર છે. શિક્ષણને અપડેટ અને આધુનિક બનાવવાનાં સૌથી મહત્ત્વપૂર્ણ ઉપાય એમાં નવીન પ્રક્રિયાઓ છે. નવીન પ્રક્રિયાઓનો ઉદ્દેશ્ય શિક્ષણશાસ્ત્રની પદ્ધતિ અને ખાસ સામાજિક સંસ્થા તરીકે શાળાનો વિકાસ છે, ગુણાત્મક રીતે નવા, ઉચ્ચ શિક્ષણ પરિણામોની સિદ્ધિ તેમજ સ્પર્ધાત્મકતામાં વધારો છે.
શૈક્ષણિક વ્યવસ્થાપન ક્ષેત્રમાં નવીનીકરણ માટેની પ્રક્રિયાની અસર બાહ્ય અને આંતરિક પર્યાવરણનાં વિવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે, તેથી તેને નીચેની આંતરિક પ્રક્રિયાઓના કુલ સંચાલન તરીકે માનવામાં આવે છે. જેમકે સત્તાવાળાઓની પ્રિસ્ક્રિપ્શનો અને ભલામણોનું અમલીકરણ, અધ્યાપન વિજ્ઞાન અને સંબંધિત વિજ્ઞાનની નવી સિદ્ધિઓની નવીનતમ પ્રેક્ટિસમાં પરિચય, અદ્યતન શિક્ષણશાસ્ત્ર અનુભવ માસ્ટરિંગ, શાળા અંદર શિક્ષણ અને સંશ્લેષણ શિક્ષણશાસ્ત્રનાં અનુભવને સમન્વયિત કરવું, વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો, માતાપિતા અને સામાજિક વાતાવરણની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવી, શાળામાં નવીન વિચારો, વિકાસ, પરીક્ષા અને નવીનતાની રજૂઆતોનું નામાંકન, નવીનતાને અમલમાં મૂકવા માટે શિક્ષણમાં સહભાગીઓની ક્ષમતા તરીકે શાળાનાં નવીનતમ સંભવિતતાને ફળિભૂત કરવા જેવાં વિષય તથા સંદર્ભ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્થાન, નવી દિલ્હી દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાનાં અધિકારીઓને તેમનાં દ્વારા શૈક્ષણિક વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં કરાયેલા નવીનીકરણ અને શ્રેષ્ઠ કાર્યરીતિઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે.
શિક્ષણમાં નવીનતાને સફળતાપૂર્વક સંચાલિત કરવા માટે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કર્તવ્યનિષ્ઠ બી.આર.સી.કો-ઓર્ડિનેટર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ પ્રમુખ કિરીટભાઈ પટેલને રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્થાન, નવી દિલ્હી દ્વારા વર્ષ 2018-19 અને 2019-20 માટે સમગ્ર રાજ્યમાંથી 'શૈક્ષણિક વ્યવસ્થાપન ક્ષેત્રમાં નવીનીકરણ' ની પ્રસંશનીય કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ગતરોજ શિક્ષણ મંત્રાલયનાં રાજ્યકક્ષાનાં માનનીય મંત્રીશ્રી ડૉ. સુભાષ સરકાર તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં શિક્ષણ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ મંત્રાલયનાં મહાનુભવો અને અધિકારીઓની હાજરીમાં યોજાયેલ વર્ચ્યુઅલ મોડ એવોર્ડ ફંક્શનમાં આ ઘોષણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યનાં શિક્ષણમંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને કિરીટભાઈ પટેલ સહિતનાં મહાનુભાવોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો, બી.આર.સી. પરિવાર ઉપરાંત જિલ્લાનાં શિક્ષણપ્રેમી ભાઈ-બહેનોએ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કિરીટભાઈ પટેલે આ પૂર્વે રાષ્ટ્રીય કક્ષાનો 'કર્મયોગી રોલ મોડલ' એવોર્ડ તથા રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવીને ઓલપાડ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
Comments