top of page

2021 ના ચુંટણીમાં ચોર્યાસી તાલુકાનું વકતાણાગામ સમરસ બન્યું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 5, 2021
  • 2 min read

સચીન પ્રજાપંખ : ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઉભા ન થાય તેવી ભાવના જાગ્રુક કરતી યોજના એટલે સમરસ ગ્રામ પંચાયત, મતલબ કે બિનહરીફ કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો જેથી ગામમા ચુંટણી ના કરવી પડે, ગામ સમરસ થાય એટલે કે, ગ્રામ પંચાયત કે જે પંચાયતી રાજની પાયાની સંસ્થાજ છે તેની ચૂંટણીમાં પક્ષિય ધોરણ ન રાખી તમામ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે અને અનેક વ્યપકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે તેને જ, કહેવાય સમરસ, આજ સમરસ અભિગમ ગ્રામવાસીઓએ પુર્ણ પાડ્યો છે સચીન નજીક આવેલ ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે. અહી નિચે મુજબના તમામ સદસ્યોને ગ્રામવાસીઓએ બિનહરીફ ચુંટીને સમગ્ર ગ્રામ પંચાયતને સમરસ બનાવી ચુંટણી પંચનો સમય અને નાણાં તથા અવાજના પ્રદુષણથી પર્યાવરણનો બચાવ કર્યો છે. ચૂંટણીઓ આવે એટલે દિન-પ્રતિદિન ઉમેદવારથી માંડીને સરકારને ખૂબ જ ખર્ચ થાય સમય વેડ્ફાય છે અને વધુમાં ગ્રામ્યા જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે વિકસે છે. વકતાણાએ તમામ ભેદભાવ છોડી ગામને સમરસ બનાવી બિજાગામને ચુંટણી માટેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હવે સરકારના બચેલા નાણાં આ વકતાણા ગ્રામ પંચાયતને વિશેષ અનુદાન રુપે મળશે અને આ વકતાણા ગામના વિકાસના કામોમાં કામે લાગશે. આ વકતાણા ગ્રામ પંચાયત સમરસમા જાહેર થયેલ સદસ્યોના નામ આ પ્રમાણે છે સરપંચ તરીકે તરૂણભાઇ ઇશ્વરભાઇ સોલંકી, વોર્ડ-1 નાં સદસ્ય અંબાબેન રઘુભાઇ રાઠોડ, વોર્ડ-2 નાં સદસ્ય ભાવનાબેન હર્ષદભાઇ નાયક, વોર્ડ-3 નાં સદસ્ય અભિષેક બિપિનભાઇ નાયક (તત્કાલિન સરપંચ) વોર્ડ-4 નાં સદસ્ય કિશનભાઇ ગિરિષભાઇ સુરતી, વોર્ડ-5 નાં સદસ્ય બાબુભાઇ રવજીભાઇ રાઠોડ, વોર્ડ-6 નાં સદસ્ય વિજયભાઇ ભગુભાઇ રાઠોડ, વોર્ડ-7 નાં સદસ્ય કંચનબેન ભરતભાઇ રાઠોડ અને વોર્ડ-8 નાં સદસ્ય હંસાબેન ઉત્તમભાઇ રાઠોડની સર્વાનુમતે વરણી થતાં વકતાણા ગામમા ખુશીનો માહોલ છવાયો છે એવું અભિષેક નાયક તત્કાલિન સરપંચ વકતાણાએ જણાવ્યું છે.

 
 
 

コメント


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page