top of page

હવે ગતિ અવરોધક દ્વારા સુરત નવસારી રોડ ઉપર અકસ્માત અટકાવાશે..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 22, 2021
  • 1 min read

હસમુખભાઈ નાયકા કોર્પોરેટર વોર્ડ નંબર 30 દ્વારા રજૂઆત...

સચિન વોર્ડ નં-30 સુડા સેકટર 3 ના સુરત નવસારી રોડ ઉપર અક્સમાત અટકાવવા આખરે ગતિ અવરોધક મુકાયો

પ્રજાપંખ સચિન:-

સુરત મહાનગર પાલિકા દ્વારા સચિન વોર્ડ નં-30 સુડા સેકટર 3 ના સુરત નવસારી રોડ ઉપર અકસ્માત અટકાવવા આખરે ગતિ અવરોધક મુકાયો અહી વાહનોની ગતિ નિયંત્રિત કરવા અકસ્માતોને અટકાવવા અવરોધક જરૂરી હતો, જે અહીં દૂર દૂર થી આવતા ભારે થી અતિ ભારે આવતાં જતાં વાહનોની ગતી ને કંટ્રોલ કરી અહી થતાં

નાના મોટા અકસ્માતોને હવે અટકાવી શકાશે, હાલની સ્થિતિએ આ રોડ પર ખૂબ જ ટ્રાફિક રહે છે, ભાટિયા ખાતે ટોલ બચાવવા ભારે વાહનો આ રસ્તા નો ભારે ઉપયોગ કરે છે. આ સુરત -નવસારી હાઇવે હોવાના કારણે આ માર્ગ ઉપર એક પણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા ન હતા આ પગલે આ પુરપાટ ઝડપે જતા વાહનોને મોકળા માર્ગ મળેલ હતો, આ માર્ગ ઉપર બે ત્રણ દિવસે હંમેશા અકસ્માત સર્જાય છે. આવી સ્થિતિમાં શહેર યોજનાના વિભાગ દ્વારા તથા ઘણા સમયથી હસમુખભાઈ નાયકા કોર્પોરેટર ચેરમેન કાયદા સમિતિ પાસે, વોર્ડ નંબર 30 દ્વારા રજૂઆત થઈ હતી અને આજરોજ ગતિ અવરોધક બનાવી રજૂઆતો ને ધ્યાન માં રાખીને લોકોના પ્રશ્નો નો નિરાકરણ કર્યુ છે જેનાથી સ્થાનિકો અને રોજ કામે આવનારાઓમાં આનંદની લાગણી છવાઈ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page