top of page

સાંસદ સી.આર.પાટીલ ને થઈ રુબરુ રજુઆત :ગ્રામ્યજનો સાથે નગર સેવકોનો સખ્ત વિરોધ. . .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 22, 2021
  • 2 min read

મનપા દ્વારા ઘન કચરા ના નિકાલ માટે ખજોદના સ્થાને હાલ ઉંબરગામમાં શિફ્ટ કરવાની જે તજવીજ ચાલી રહેલ છે એ રોકવા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને રુબરુ રજુઆત કરાઇ. . . . .


સચિન પ્રજાપંખ : સુરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતા કચરાને ખજોદ સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. જ્યાં 6 લાખ 12 હજાર ચોરસ મીટર જગ્યામાં ધનકચરાનો નિકાલ કરવામાં આવે છે. હવે મનપા ઉંબરની ખારા-ખારાબાની જગ્યા પર ડમ્પિંગ સાઈટ કરવા કાજે મનપા તંત્ર તજવીજ કરી રહ્યું છે. જેની જાણ ઉંબરના ગ્રામજનોને થતાં સ્થાનિક પશુપાલન, ખેતી જેવા વ્યવસાય પર ખુબ અસર પડશે. તેમ ગ્રામ્યજનોનુ કહેવુ છે.

મનપા દ્વારા રોજનો કચરો ખજોદ લેન્ડ ફિલ્ડ સાઈટ પર ઠાલવવામાં આવે છે. જે કચરો હવે ઉંબર ગામની જમીન પર ઠાલવવાની તજવીજ ચાલી રહી છે. આ જોતા ગામના લોકોએ સખ્ત વિરોધ કર્યો છે. આજે તેઓ દ્વારા માનનિય સાંસદશ્રી સી આર પાટીલ ને મળીને રુબરુમાં રજુઆત કરવામાં આવી. આ બાબતે હવે ગ્રામ જનો આવેદનપત્ર પણ આપશે, આમ જોઇએ તો શહેરનો સૌથી મોટો ઉકરડો કહેવાતી ખજોદ લેન્ડ સાઈટ હવે કચરામાંથી કંચન બની ગઈ છે. ડ્રિમ સિટીનો આવિષ્કાર થઇ શક્યો છે. પણ શહેરમાંથી પ્રતિદિન નીકળતો કચરો ક્યાં ઠાલવવો તેની મડાગાંઠ આજે પણ ઉભી જ છે. જેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આ પ્રશ્ન ઉકેલવા માટે અગાઉ પણ બિજા ગામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ સ્થાનિક લોકો તરફથી વિરોધનો સુર તીવ્ર બન્યો હતો. જેથી હવે નવા વિકલ્પ તરીકે હાલમાં સુરત સિટીમાં નવો સમાવેશ થયેલ વિસ્તાર ઉંબર ખાતે મનપા શહેરનો કચરો ઠાલવવા માંગે છે પરંતુ વોર્ડ-30નાં કોર્પોરેટરો અને પ્રતિનિધી મંડળ, સંઘર્ષ સમિતિના અગ્રણી તથા ગ્રામવાસીઓનું કહેવું છે કે ઉંબર ગામમાં ઘન કચરો ઠાલવવામાં આવે તો પશુપાલન વ્યવસાય તથા માનવજાતને ગંભીર અસર થાય તેવું છે. ઉંબરને જો ડમ્પિંગ સાઈટ માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન, ખેતી જેવા વ્યવસાય પર અસર પડશે અને સ્થાનિક રહેવાસીઓ પર તથા ખાસ શાળામા જતા આવતાં બાળકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડશે. જેથી સુરત મહાનગર વોર્ડ નં.30 માં સમાવિષ્ટ ઉંબેર ગામ ખાતે મનપા ઘન કચરા ના નિકાલ માટે જે તજવીજ કરી રહી છે એ રોકવી રહી, અને બિજુ સ્થળ શોધવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તેમજ હંમેશા માટે પ્રજાની તકલીફ ને પોતાની તકલીફ સમજી એને તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની જેમની ઓળખ છે એવા શ્રી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ ને ગ્રામજનો અને કોર્પોરેટરશ્રી પિયુષાબેન ભરતભાઇ પટેલ, બાંધકામ સમિતિ સદસ્ય, રીનાબેન અજીતસિંહ રાજપૂત, પાણી સમિતિ સદસ્ય, ચિરાગ સિંહ હરિશસિંહ સોલંકી ટીપી સમિતિ સદસ્ય અને હસમુખભાઇ શંકરભાઇ નાયકા, કાયદા સમિતિ ચેરમેન મનપા, ઉંબર માજી ડે. સરપંચ હાલ ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, સામાજિક અગ્રણી ભરત પટેલ, સંઘર્ષ સમિતિના આગેવાનો અનિલભાઇ પટેલ, પરેશભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ, અને ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ પ્રમુખ અજિતસિંહ રાજપૂત તેમજ ગામના આગેવાનો દ્વારા રુબરુ ચર્ચા કરી ને રજુઆત કરવામાં આવી છે અને પ્રત્યુત્તરમા પાટીલ સાહેબ દ્વારા હકારાત્મક જવાબ મળતાં એ બદલ સમસ્ત ગ્રામજનો તેમજ કોર્પોરેટરશ્રીઓ પાટીલ સાહેબનો આભાર માનીયે છીએ જાણાવ્યું....


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page