સ્વ.ડી.ડી. રાદડિયા વિદ્યાલય ખાતે ડૉ. રાધાકૃષ્ણન્ સર્વપલ્લીના જન્મ દિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી થઈ
- Praja Pankh
- Sep 4, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : સર્જન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ.ડી.ડી. રાદડિયા વિદ્યાલય તેમજ અખિલ ભારતીય સેવાદળ, સુરત શહેર ના સંયુકત ઉપક્રમે તા.૦૪/૦૯/૨૦૨૧ ને શનિવારના રોજ ૫ મી સપ્ટેમ્બર ડૉ. રાધાકૃષ્ણન્ સર્વપલ્લીના જન્મ દિન નિમિત્તે શિક્ષક દિન ની ઉજવણી અને શ્રેષ્ઠ શિક્ષક સન્માન નું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત વરાછા કો – ઓપરેટીવ બેંક ના વાઇસ ચેરમેન અને સુરત શહેર સેવાદળ કાઉન્સીલના પ્રમુખ પ્રભુદાસભાઇ પટેલ, અખિલ ભારતીય સેવાદળના જિલ્લાધિનાયક મોહમદ ઇકબાલભાઇ શેખે ડૉ. રાધાકૃષ્ણન્ સર્વપલ્લીની જીવનની રસપ્રદ વાતો અને ઇતિહાસ વિશે ચર્ચા કરી બાળકોને માહિતગાર કર્યા હતા. જ્યારે અખિલ ભારતીય સેવાદળના કાર્યકર્તાશ્રીઓ દેવશીભાઇ શીંગાળા, દેવેન્દ્રભાઇ પ્રજાપતિ, પાલજીભાઇ કાનપરીયા તેમજ વલ્લભભાઇ જાદવાણી પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સંચાલક રાજેશભાઇ રાદડિયા એ વિષય અનુરૂપ તથા વિદ્યાર્થીના શૈક્ષણિક ઘડતરમાં શિક્ષકની ભૂમિકા કેટલી મહત્વની છે તેના વિશે રસપ્રદ માહિતી આપી હતી, શ્રેષ્ઠ શિક્ષક તરીકે ધામેલિયા કિંજલબેનનું સન્માનપત્ર, ટ્રોફી, પુષ્પ-પુસ્તક અને શાલ વડે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ટ્રસ્ટી તેમજ આચાર્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં. અંતે શાળા શિક્ષકશ્રી નિમાવત વૈશાલીબેન દ્વારા આભારવિધી કરી, રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Comments