top of page

સ્વ.કિશનની હત્યાના પગલે, સેકટર – 2 ના અધિક પોલિસ કમિશ્નર શરદ સિંઘલની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 1, 2022
  • 2 min read

સુરત સેકટર – 2 ના અધિક પોલિસ કમિશ્નર શરદ સિંઘલની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક બોલાવાઇ હતી જેમાં હિંદુ-મુસ્લિમ જ્ઞાતિના આગેવાનો અને અન્ય અગ્રણીઓને મિટિંગમાં બોલાવાયા હતા અને તેઓની સાથે ચર્ચા કરીને સુરત શહેરમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને સોશિયલ મીડિયામાં કોઈ વિવાદિત પોસ્ટ મુકે નહીં તે અંગેની અપીલ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને શહેરમાં શાંતિભર્યું વાતાવરણ બન્યું રહે તે બાબતે આગેવાનો દ્વારા સમાજના સંદેશાઓ પહોંચાડવામાં આવે તેવી ચર્ચા થઈ.




પ્રજા પંખ સચીન : સેકટર – 2 ના અધિક પોલિસ કમિશ્નર શરદ સિંઘલની આગેવાનીમાં ઝોન-3 ડીસીબી ના કે. એફ. બરોલિયા (એસ.પી.એસ.) તથા પાન્ડેસરા પીઆઇ એ.પી. ચૌધરી, સચિન જીઆઇડીસી પીઆઇ ડી. વી. બલદાણીયા અને સચિન પીઆઇ કે.બી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, ઝોન-3 ના પોલિસ અધિકારી કે. એફ. બરોલિયાએ પ્રથમ સહુનું સ્વાગત કરી કાર્યક્રમની રુપરેખા આપી હતી અને શહેરમાં સામાજીક શાંતિ રાખવા અપીલ કરી હતી. જ્યારે સેકટર – 2 ના શરદ સિંઘલે જણાવ્યું કે, આપ જાણો છો તેમ ધંધુકામા સ્વ.કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના પગલે સમગ્ર રાજ્યભરમાં અજંપાભરી પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે અન્ય શહેરની જેમ સુરત શહેરનું સામાજિક વાતાવરણ ન બગડે તથા સામાજિક શાંતિ જળવાયેલી રહે, લોકો અફવાઓથી ઘબરાય નહી તેની તકેદારીના ભાગરૂપે આ મિટિંગ બોલાવાઇ છે. આજે પાંડેસરા પોસ્ટે સાંજે 5 કલાકે કોંફ્રરન્સ હોલમા સચીન, સચીન જીઆઇડીસી અને પાંડેસરા પોલિસ સ્ટેશન વિસ્તારના સામાજિક અગ્રણીઓ, શાંતિ સમિતિના સદસ્યો, સિનિયર સિટિઝનો તથા અન્ય હિંદુ મુસ્લિમ સંગઠનોના અગ્રણીઓ કાર્યક્ર્તાઓ તથા અનેક સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, જેમાં તમામ આગેવાનોને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ના સંદેશાઓ આપવા માટેની ખાસ અપીલ પણ સુરત સેકટર – 2 ના અધિક પોલિસ કમિશ્નર શરદ સિંઘલ દ્વારા કરાઇ છે. આ સાથે એમણે એ પણ કહ્યું કે, પોલિસ ડિપાર્ટમેંટ્નુ એટીએસ તથા અન્ય ક્રાઇમ બ્રાંચો દ્વારા દરેક પ્રકારની ગતીવિધી પર નજર રખાઇ રહી છે અન્ય સ્થળે 25 એફ.આઇ.આર. થઈ છે સુરતમાં કાપડ અને હિરા બિજનેશ છે જેથી શાંતિ પ્રિય લોકો રહેતા હોવાથી ઘણી શાંતિ છે. પરંતુ બહારથી આવેલ અસામાજિક તત્વો પર એના ગતિવિધી અને સોશિયલ પોસ્ટ પર આપ પણ નજર રાખો, શહેર-જિલ્લાના લોકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ અથવા ટિપ્પણી કરવામાં નહી આવે, તેવી હું અપીલ કરું છુ અમારા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર લોકોને શાંતિ જાળવવા તથા ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ છે. ધંધુકાના યુવકની હત્યા મામલે સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવામાં આવે. જો કોઇ ભડકાઉ ભાષણ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી સામે આવશે તો પોલીસ તેની સામે સખ્તમાં સખત કાર્યવાહી કરશે. આથી આપ દ્વારા પોતપોતાના વિસ્તારોમા રહેતા લોકો શાંતિ જાળવે તથા ગામ મોહ્લ્લામાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરશો. આ પ્રસંગે પધારેલ મિત્રોએ પોતાના સુચનો પણ પોલિસ અધિકારિઓને આપ્યા, અંતે આભારવિધીમાં સચીન પોસ્ટેના પીએ કે.બી. ઝાલાએ કહ્યું કે, ધંધુકાના ભરવાડ યુવાનની હત્યાના પગલે ત્રણેય પોલીસ સ્ટેશનનાં સામાજિક અગ્રણીઓ, શાંતિ સમિતિના સદસ્યો, સિનિયર સિટિઝનો તથા અન્ય હિંદુ મુસ્લિમ સંગઠનોના અગ્રણીઓ કાર્યક્ર્તાઓ તથા અનેક સરપંચો મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહ્યા. આપ સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ પણ કરી છે અને એખલાસ ભર્યું વાતાવરણ બનેલું રહે, તે બાબતે ની ચર્ચા અમારા માનનીય સેકટર – 2 ના અધિક પોલિસ કમિશ્નર શરદ સિંઘલ સાહેબની આગેવાનીમાં થઈ છે જેથી આપ પણ આગેવાનો છો આપ સહુને સમજાવી શકો છો જેથી શહેર, ગામ મોહ્લ્લામાં સુલેહ શાંતિ જળવાઇ રહે, આપ અહી પધાર્યા જે બદલ આપનો આભાર.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page