top of page

સુરત શહેર હોમગાર્ડઝ દ્વારા વિશ્વ લીવર દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ની ઉજવણી કરવામાં આવી...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 20
  • 2 min read

Updated: Apr 21

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ  કહ્યું છે. મેદસ્વિતા સામે જાગૃતિ લાવીને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું છે. મેદસ્વિતા સામે જાગૃતિ લાવીને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે.

પ્રજા પંખ સુરત: ગુજરાત સરકારના ગૃહ વિભાગના હોમગાર્ડઝ દળના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ સુરત શહેર કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાના માર્ગદર્શન નીચે શહેરના છ યુનિટ અને એક મહિલા યુનિટના કુલ ૧૩૭૮ હોમગાર્ડઝ ને પહેલું સુખ તે જાતે નર્યા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો સાથે બી ઝોન વરાછા ખાતે થી ઇન્ટરવહીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ ડો. ઈલા મેઘાણી દ્વારા ચાર બાબતે ધ્યાન રાખવા માટે જણાવેલ સંતુલિત આહાર-ફળો-શાકભાજી મિલેટ (આખા અનાજ અને પ્રોટીન) યુક્ત ખોરાક લેવો જોઈએ ગળ્યું અને તળેલું જંક ફૂડ ખાવાનું ટાળો જીવનશૈલીમાં નિયમિત કસરત, પૂરતી ઊંઘ, તણાવ નું વ્યવસ્થાપન છ થી સાત કલાક ઊંઘ. સમયસર ભોજન કમાન્ડન્ટ ડો. શિરોયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય શ્રી જે પી નડાના માર્ગદર્શન નીચે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મેદસ્વિતા સામે જાગૃતિ લાવીને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે છે તેમ જણાવે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે શરીર માટે બે કલાક વ્યાયામ મગજ માટે ૬ કલાકની ઊંઘ લેવાથી દવા વગર સ્વસ્થ રહી શકાય તેમ જણાવેલ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ વિશ્વયુક્ત (લીવર) દિવસ પ્રસંગે એક અભિયાન શરૂ કરવા માટે જણાવ્યું હતું કે આયોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. સી ઝોનમાં સેકન્ડ ઈન કમાન્ડ શ્રી પ્રણવ ઠાકર સિ ઝોનમાં ઓ.સી. ગિરીશ પટેલ અને અન્ય અધિકારી સાથે સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડો. જીગ્નેશ પટેલ, તાપ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન અને ઓ.સી. એ ઝોન દિનેશ પરમાર સાથે એ ઝોન અને મહિલા યુનિટ રાંદેર ઝોનમાં સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કૈઝાદ વાડીયા સાથે સ્ટાફ ઓફિસર પબ્લિસિટી જીગ્નેશ ઠાકોર, રાંદેર યુનિટ ઓ.સી. રાકેશ ઠક્કર, સચિન યુનિટ અધિકારી થોમસ પઠારે, ડી ઝોન જયંતીભાઈ દવે એ કાર્યક્રમ માં ભાગ લઈને સફળ બનાવ્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page