સુરત શહેર સચીન પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન, નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં....
- Praja Pankh
- Apr 26
- 2 min read

પ્રજા પંખ સચિન : રાજ્ય સરકાર દ્વારા જાહેર આરોગ્ય અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા હેઠળ, માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબશ્રીના માર્ગદર્શન તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-ર શ્રી કે.એન.ડામોર સાહેબની સૂચના અને ઝોન-૬ ના ડીસીપી શ્રી રાજેશ પરમારની દેખરેખ હેઠળ તથા મે.મદદનીશ પોલીસ કમિશનર શ્રી એન.પી.ગોહિલ સાહેબ “આઇ” ડીવીઝન સુરત શહેર નાઓના માર્ગદર્શન મુજબ સચિન પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તથા પશુ ચિકિત્સક વિભાગના સંયુક્ત સહયોગથી પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી હોટલોમાં ખાધ્ય ચીજ તરીકે વપરાતા માસની ગુણવત્તા અંગે ખરાઇ કરવા કાયદેસર ચેકીંગ કરવા સચીન નવસારી હાઇવે ઉપર આવેલ (૧) મિડ નાઇટ હોટલ (૨) દાવત હોટલ (૩) તંદુર હટ હોટલ (૪) અલ કાદરી હોટલ (૫) નાના વાડી હોટલ (૬) અમદાવાદી તવા ફાઇ હોટલ (૭) હાજી ચીકન હોટલ તથા નાના મોટા ધાબાઓ ઉપર સરપ્રાઇઝ ચેકીંગનું અભિયાન હાથ ધરવામાં આવ્યું.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને પીરસવામાં આવતા આહાર, ખાસ કરીને નોનવેજ ખોરાકની ગુણવત્તા, તાજગી અને આરોગ્યપ્રદતાની તપાસ કરવી રહ્યો હતો. ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ, મુજબ કામગીરી કરી, સંભવિત ખામીઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે પ્રમાણિત સેમ્પલ લઈ તેઓને FSL મોકલવામાં આવ્યા છે.
સુરત શહેર સચીન પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન, નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં માલિકો તથા સ્ટાફ દ્વારા સહકારભર્યું વલણ જોવા મળ્યું તપાસ કાર્ય સુનિષ્ઠિત રીતે સંપન્ન થયું હતું.
અધિકારીઓ દ્વારા ખાદ્ય પદાર્થો, રસોઈનો વ્યવસ્થિતતા, સ્ટોરેજ વ્યવસ્થા, ખોરાકની ગુણવત્તા, એમાં વપરાતી સામગ્રીની એક્સપાયરી સ્થિતિ, તેમજ સફાઈ તથા હાઇજીનના સ્તરે પણ બારીકીથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે: “તપાસ દરમિયાન મેળવવામાં આવેલા સેમ્પલના પરિણામો આવનાર ૧૫ દિવસના સમયમાં પ્રાપ્ત થશે. જો કોઈ પણ અનિયમિતતા કે આરોગ્ય માટે હાનિકારક ઘટકો જણાશે તો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, અને સંબંધિત ધારા મુજબ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”જયારે સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી પી.એન. વાઘેલાએ ઉમેર્યું કે, માનનીય પોલીસ કમિશનર શ્રી ગહેલોતશ્રી સાહેબ સુરત શહેરના માર્ગદર્શન અને ઝોન-૬ ના ડીસીપી શ્રી રાજેશ પરમારશ્રીની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી થઇ છે આ “અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને સુરક્ષિત, શુદ્ધ અને પોષક આહાર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અમારી સાથેનાં અધિકારીઓ દ્વારા શંકાસ્પદ નોન-વેજ ફુડનાં નમુના લઇ પુથ્થકરણ માટે મોકલી આપેલ છે અને પુથ્થકરણ
અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે જણાવ્યું. સમગ્ર અભિયાન દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તથા પશુ ચિકિત્સક વિભાગના અધિકારીઓ તથા
પોલીસ અધિકારીઓમાં
પો.ઇન્સ શ્રી પી.એન.વાઘેલા
પો.સ.ઇ. એન.ડી.ડામોર
પો.સ.ઇ એસ.ડી.સીધ
પો.સ.ઈ.આર.એ.પરમાર
પો.સ.ઇ એસ.કે.રત્નું અને
સચીન પોલીસ સ્ટેશન સ્ટાફે સફળ કામગીરી બજાવી હતી.
Comments