સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધઃ
- Praja Pankh
- Jan 28, 2021
- 1 min read
તા.૨૯/૦૧/૨૦૨૧ થી તા.૧૨/૦૨/૨૦૨૧ સુધી જાહેરનામું અમલી રહેશે

સુરત શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી તહેવારો, શહેરમાં
યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું
પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ
સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.૨૯/૦૧/૨૦૨૧ થી તા.૧૨/૦૨/૨૦૨૧ સુધી પ્રતિબંધ
ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા અધિકારી-
કર્મચારીઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Comments