સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સંયુક્ત નવ યુનિયનો દ્વારા નાયબ કલેકટરને અપાયું આવેદનપત્ર
- Praja Pankh
- May 5, 2021
- 2 min read

સચિન : ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ છવાયો છે આ મહામારી ૨૦૨૦ માર્ચે દરમિયાન ૫૦ લાખની વસ્તી ધરાવતાં સુરત મહાનગરમાં પણ દહેશત સાથે ફેલાયેલી હતી અને જેમા સુરત મહાનગર પાલિકાના ૨૨૦૦૦ જેટલા કર્મચારીઓ તથા કામદાર ભાઇ – બહેનો પોતાના જીવના જોખમે ફરજ બજવતાં હતાં. કેમ કે, સુરતનાં નાગરીકો કોઇ મુશ્કેલિમાં ન મુકાય, તે માટે ૧૪ માસથી દિન - રાત જોયા વગર ફરજ બજવતાં હતાં. આ કોરોનાની ફરજ બજવતાં મનપાના ૨૦૦૦ થી વધુ કર્મચારીઓ આજ દિન સુધી કોરોનાથી સંક્રમિત થયા છે. જેમા અનેક પરિવારે પોતાની છ્ત્રછાયા પણ ગુમાવી છે. જેમના માટે આજે મનપામાં કાર્યરત સંયુક્ત નવ યુનિયનો દ્વારા અધિક નિવાસી નાયબ કલેકટર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમા દર્શાવ્યુ છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોરોના ની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ‘’ કોરોના વોરીયર ‘’ જાહેર કરેલ છે. આ કોરોના વોરીયર નું દુ:ખદ અવસાન થાય તો ભારત સરકાર દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રુપિયા ૫૦ લાખ અને રાજ્ય સરકાર દ્વારા ૨૫ લાખ રુપિયા વિમા સહાયની યોજના જાહેર કરેલ હતી. જેથી તા. ૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં ૨૫ જેટલા કર્મચારી, કામદાર ભાઇ – બહેનોના દુ:ખદ અવસાન કોરોનામાં થયેલ, જેમનાં તમામ આધાર પુરાવા ઉપર માંગ્યા મુજબ મોક્લી દેવામા આવ્યા બાદ આજ દિન સુધી ફક્ત ૦૪ જ કર્મચારીઓના આશ્રીતોને આ સહાય મળી છે. બીજાઓને આ સહાય મળી નથી. ભારત સરકારની યોજના તા. ૨૪-૦૩-૨૦૨૧ થી બંધ કરી દેવામા આવેલ છે. જે ખુબ દુ:ખદ બાબત છે અને કર્મચારીઓમા એનો અસંતોષ અને રોષ ની લાગણી ફેલાઇ છે. જેથી મનપાના નવ યુનિયનોની માંગણી છે કે, બાકી ૨૧ કર્મચારીઓની બાકી સહાય ૧૫ દિવસમાં કેંદ્ર સરકાર અને ગુજરાત સરકાર ચુકવી દે, અને તા. ૨૪-૦૩-૨૦૨૧ થી બંધ થઇ ગયેલ ભારત સરકારની પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના તા. ૨૫-૦૩-૨૦૨૧ થી ફરી શરુ થાય અને તમામ ૨૫-૦૩-૨૧ થી મ્રુત્યુ પામેલા સમગ્ર ભારત ભરના કર્મચારી – કામદારોને એનો લાભ મળે, રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય આપો, તેમજ સરકારી કોન્ટ્રાકટ હેઠળ તાલિમાર્થી કર્મચારી, સહાયક કર્મચારી તથા હંગામી સફાઇ કામદાર, આયા, વોર્ડ બોય, એ.એન.એમ. વિગેરે તરીકે કોરોનામાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓને કાયમી કરવા માટેની અમારી માંગણી છે અને ૧૫ દિવસમા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા વિનંતી કરી છે. જો નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ આંદોલાનાત્મક પગલાં ભરવાની ફરજ પડશે એવુ નવ યુનીયનોએ જણાવ્યું છે.
Comments