સુરત ભાવસાર ક્ષત્રિય સમાજ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રિય મહિલા દિનની માનભેર ઉજવણી થઈ
- Praja Pankh
- Mar 10, 2021
- 2 min read
સચિન : આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી માતા હિંગળાજ મંદિર ખાતે ભાવસાર ક્ષત્રિય સમાજ મહિલા મંડળ સુરત દ્વારા માનભેર કરવામાં આવી હતી. શરૂઆતમાં ચંચળ ક્યૂટ બેબી નિત્યા ભાવસારે માતૃ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભાવસાર સમાજની વિવિધ ક્ષેત્રની મહિલાઓને સત્કારવા માટે મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા એડ્વોકેટ મહિલા વરિષ્ઠ શ્રીમતી મીનાબેન બાંધણીયા અને મુખ્ય અતિથિ તરીકે ભાવસાર સમાજનું ગૌરવ એવા એડ્વોકેટ શ્રીમતી સારિકાબેન ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. મહિલા પ્રમુખ કાનન ભાવસારના પ્રસંગોપાત સ્વાગત પ્રવચન અને પુષ્પ ગુચ્છબાદ પધારેલ મહેમાનોએ મહિલા સશક્તિકરણપર પ્રવચન કર્યંત હતું. જેનો મર્મ જાણીએ તો આજની મહિલાઓ ઘરને સ્વર્ગ બનાવી શકે છે, આજની મહિલા આકાશમાં બીજા ગ્રહ પર જઇ શકે છે. શું નથી કરી સકતી આજની મહિલા ? ફેમિલી કોર્ટમાં શા માટે કેસ વધે છે? જો આપણે આપના સંસારનું બેલેન્સ બરોબર રાખીએ તો આ કેસો એકદમ ઓછા થઈ શકે છે. લગ્ન જીવનમાં એકમેકને સમજી લેવાની તાતી જરૂરત રહે છે. મહેમાન મીનાબેને અને સારિકાબેને વધુમાં કહ્યું કે, ‘મહિલાઓ એકબીજાને સહકાર આપીને નારીત્વને સમૃદ્ધ કરશે તો સામાજિક સ્થિતિમાં જલ્દીથી બદલાવ આવશે, ત્યારે જ દરેક દિવસ વીમેન્સ ડે બની જશે. તમારું નસીબ તમારે જાતે જ ઘડવાનું છે. હવે કુંઠિત માન્યતાઓનો સમય બદલાયો છે, શ્રદ્ધા અંધશ્રદ્ધાથી દૂર થાવ, આજના વર્ષોબાદ ફરી ભાવસાર સમાજની મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત બહેનોના સન્માનથી એમનામાં નવો ઉત્સાહ મળ્યો છે. સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદા ઘડ્યા છે, પણ હવે સ્થિતિ બદલવા માટે મહિલાઓએ જ હિંમતથી ખુલીને બોલવાની જરૂર છે.’ આજની મહિલા અને મહિલા શક્તિ વિષે પ્રેરણાદાયક પ્રવચન કરી બંને મહેમાનોએ આવકારદાયક તાળીઓ મેળવી હતી. આ સન્માન પ્રાપ્ત કરતાં સહુ ભાવસાર સમાજની બહેઓને પણ મહિલા મંડળનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ કાનનબેન ભાવસાર, સેક્રેટરી સારિકાબેન ભાવસાર, છાયાબેન ભાવસાર, પૂજાબેન ભાવસાર, વિદ્યાબેન ભાવસાર, રાણીબેન ભાવસારે વિશ્વ મહિલા દિન પર સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહ આભાર પ્રવચન પણ સારિકાબેન ભાવસારે કર્યું હતું.
Comments