top of page

સુરત નવસારી ટ્વીન સિટી રોડ પર ૧.૫૦ લાખનું વિશ્રામ ગૃહ લોકાર્પણ કરતાં મંત્રીશ્રી પૂર્ણેશ મોદી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 25, 2021
  • 2 min read



સચિન પ્રજા પંખ દ્વારા : સુરત શહેર દક્ષિણ ગુજરાતનું એક આગવું મહત્વ ધરાવતુ શહેર છે. તેમજ સુરત એ દક્ષિણ ગુજરાતનુ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર પણ છે. સુરત ખાતે અવાર નવાર વી.વી.આઈ.પી. ના કાર્યક્રમો થતા હોય છે. હાલ સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ થતા સચીન વિસ્તાર સુરત મહાનગર પાલિકામાં આવરી લેવામાં આવેલ છે. સચીન વિસ્તાર જી.આઈ.ડી.સી. વિસ્તાર સાથે શહેરનો એક વિકસીત વિસ્તાર છે. આવા સંજોગોમાં સચિન વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ નવસારી સાંસદ અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ, માજી મંત્રી અને બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજુઆત કરી હતી ત્યારે સરકારે સચિન-નવસારી વચ્ચે આવતા સચિનમાં 1.50 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહ બનાવવા માટેની મંજૂરી સાથે સરકારે ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. જે અન્વએ આજે સચીન, સુરત ખાતે અદ્યતન સગવડ સાથે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવેલ છે સુરત ખાતે વારંવાર બહાર ગામથી મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ આવતા હોય છે. જેના કારણોસર આ વિશ્રામ ગૃહની ઉપયોગિતા ખુબ જ રહેશે. સચીન ખાતે આવતા જતાં અધિકારી પદાધિકારી, મહાનુભાવોને આનો લાભ થશે. જેનું લોકાર્પણ કરતાં માર્ગ અને મકાન વિભાગ મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, આ ભવ્ય વિશ્રામ ગૃહ સુરત, નવસારી નાં અધિકારી પદાધિકારીઓને સહુને લાભદાયી થશે. ગુજરાતની સાત કરોડાની વસ્તી થવા જઈ રહી છે. જેથી લોકોની મુખ્ય જરૂરિયાત છે રોડ, અને એ નવા રોડ હવે ચારે બાજુથી સરદાર સ્ટેચ્યુ સુધી પોહંચી શકશે, તેવા અમે વધુ નવા રોડ અને બ્રિજ બનાવી રહ્યા છીએ, આ ઉપરાંત દરિયા કિનારાને પણ રોડ સાથે ફોર લેન રોડ બનાવવાનો પ્લાન તૈયાર છે. દરેક વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવા માટે રોડ સાથે હવાઈ અને જળ માર્ગે જવા માટેના સાધનો ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ સાથે અન્ય સર્કિટ હાઉસ પણ અમે આપવા જઇ રહ્યા છીએ. જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈએ કહ્યું કે, આજે આનંદની વાત છે. આ સચિન નવાબી નગરી કહેવાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સુરત નવસારી ને ટ્વીન સીટી બનાવવાનું સપનું જોયું હતું જેનાં ભાગ રૂપે આજે મંત્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ સચિનને આ ભવ્ય વિશ્રામ ગૃહ આપી રહ્યા છે જે બદલ એમનો આભાર માનું છું. ટ્વીન સિટી સુરત નવસારી રોડ ને રીકાર્પેટ કરવાની જરૂર છે જેની મંજૂરી આપશો જેથી વાહન ધારકો અને અન્ય લોકોને ઘણી રાહત થશે. આ સાથે ચોર્યાસી ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલે કહ્યું કે, વિશ્રામ ગૃહની સચિન ખાતે ખાસ જરૂર હતી આપનો આભાર, ઝંખનાબેને વધુમા કહ્યું કે, હજી આના ઉપર એક મિટિંગ હોલ બનાવી આપો ત્યારે મંત્રીશ્રી પુર્ણેશભાઇ મોદીએ હકારાત્મક જવાબ આપ્યો અને નગરજનો એ તાળીઓથી વધાવી લીધા હતાં આ પ્રસંગે ઉત્તમભાઇ ચૌધરી – કાર્યપાલક ઇજનેર – મા.અને.મ.વિ. સુરત શહેર એ વિશ્રામ ગૃહનાં કન્સ્ટ્રકશન ની વાત કરી જણાવ્યું કે, રેસ્ટ હાઉસના બાંધકામમાં કુલ ખર્ચ રૂા. ૧.૫૦ થયો છે. જેના ઉન્ડેશનમાં ખાસ આરામદાયક રૂમો બનાવાયા છે. સાથે ખાસ આઉટર ડેવલોપમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થા છે. ૧. વી.વી.આઈ.પી. રૂમ વીથ અટેચ્ચડ બાથરૂમ, ડ્રેસીંગ (૧ રૂમ) સાથે આ વિશ્રામગૃહમાં ઉપલબ્ધ છે . ૨. વી.આઈ.પી. રૂમ વીથ અટેચ્ચડ બાથરૂમ, ડ્રેસીંગ (૨ ફર્મો) ૩. જનરલ રૂમ વીથ અટેચ્ચડ બાથરૂમ, ડ્રેસીંગ (૧ રૂમ) છે સાથે કીચન–વીથ ડાયનીંગ રૂમ પણ છે એવું એમણે જણાવ્યું છે. આ પ્રસંગે વોર્ડ - 30 ના કોર્પોરેટર હસમુખ નાયકા, ચેરમેન કાયદા સમિતિ, ચિરાગસિંહ સોલંકી, ટીપી સમિતિ સદસ્ય, રીનાબેન રાજપૂત, પાણી સમિતિ સદસ્ય, પિયુષાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય તથા સુરત શહેર મંત્રી ભિખુભાઇ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page