સુરત જિલ્લામાં કોરોનાવોરિયર્સ તરીકે સતત કામગીરી બજાવનાર ૧૦૮ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત..
- Praja Pankh
- Apr 9, 2021
- 2 min read
Updated: Apr 12, 2021
ભૂતકાળમાં શિક્ષકોએ દરેક કાર્યમાં આગળ આવી કોરોના મહામારીમાં ખૂબ જ સુંદર કામગીરી કરી છે અને હજુ પણ કરી રહ્યા છે , પરંતુ શિક્ષકો ની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે. : કિરીટ પટેલ પ્રમુખ જિલ્લા સંઘ
સચિન : સુરત જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે સતત કામગીરી બજાવતા ૧૦૮ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષકો ચિંતા મા હાલ કોરો ના સંક્રમણમાં ખૂબ જ વધી રહ્યું છે . જેમાં સુરત જિલ્લામાં પણ બાકાત નથી સુરત જિલ્લાના ઓલપાડ માં 17,બારડોલી 9, કામરેજ 21,માંડવી 8, ઉમરપાડા 4,માંગરોલ 7,પલસાણા 3, ચોર્યાસી 32, મહુવા 8, આમ કુલ 108 જેટલા શિક્ષકો સંક્રમિત ચૂક્યા ગયા છે આમ પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે વળી જી. સી. ઈ.આર. ટી દ્વારા એપ્રિલ મહિનાની ૨૭ તારીખથી ધોરણ ૩ થી ૮ ની સામાયિક કસોટી લેવા સુચન કરેલ છે. આ કેટલા અંશે વ્યાજબી કહેવાય કે બાળકોમાં કોરોના ફેલાઈ રહ્યો છે સાથે શિક્ષકોને પણ કોરોના થઈ રહ્યો છે. જો આવા સમયે બાળકોને કસોટી આપ-લે કરવામાં આવે તો શિક્ષકો અને બાળકો બંને સંક્રમિત થઈ જશે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આ બાબતની જવાબદારી કોની રહેશે ? આમ શિક્ષક આલમમાં ચર્ચા થઈ રહી છે, આખું વર્ષ શિક્ષકોએ ખૂબ જ કામગીરી કરેલ છે. સરકારશ્રીના આદેશ મુજબ કોરોના સમયે પણ ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. હાલ નિદાન કસોટી નો સ્કેનિંગ પણ ચાલુ છે, જેથી હાલ એકમ કસોટી ન લેવાય તે માટે રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓમાં ૫૦ ટકા હાજરી સાથે શિક્ષકોને બોલાવવામાં આવે, કોરોના કેસના સતત વધારાને કારણે બાળકો શાળામાં ન આવતા હોવાને કારણે તમામ સ્ટાફને ન બોલાવતા ઓડી વન પદ્ધતિ પ્રમાણે શિક્ષકોને બોલાવવામાં આવે એવી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી દ્વારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ ને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ ઉપરોક્ત રજૂઆત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ સચિવ શ્રી ડો વિનોદ રાવ સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે
Comentários