સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે ગીતાબેન પટેલ નિમાયા. . .
- Praja Pankh
- Mar 17, 2021
- 2 min read
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે યુવાન કર્મઠ આસ્તિક પટેલની પસંદગી થઈ,
સચિન પ્રજાપંખ દ્વારા : મનપા બાદ હવે સુરત જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ગત રોજ પારલામેન્ટરી બોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ્ શ્રી સી આર પાટિલ સાહેબની ચર્ચા બાદ સંદીપ દેસાઇ સુરત જિલ્લા સંગઠન પ્રમુખે મેંડેટ જાહેર કરી સહુનો આતુરતાનો અંત લાવ્યો હતો. ત્યારે દરેક ભાજપના હોદેદારોમાં ખુશી છવાઈ હતી. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવેશ પટેલ તથા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર્ભઇ વસાવા નિમાયા છે તથા ઉપપ્રમુખ તરીકે ગીતાબેન પટેલ, શાસક પક્ષ નેતા તરીકે રાકેશભાઈની પસંગી થઈ છે તો દંડક તરીકે દિનેશ સુરતીની પસંદગી થવા પામી છે. એજ રીતે ચોર્યાસી તાલુકાનાં પ્રમુખનો તાજ કર્મઠ એવા આસ્તિક પટેલના માથે આવ્યો છે સાથે ઉપપ્રમુખ તરીકે વાસંતીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે કાંતિભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા તરીકે લીલાબેન પટેલ અને દંડક તરીકે ઋષિકુમાર પટેલને સ્થાન અપાયું છે જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં કલ્પનાબેન પ્રિતેશ વાંઝવાળાના નામની સંગઠને ચર્ચા કરી રહી છે જેથી ઓફિસિયલ નામ બહાર પડી શકે છે. આમ જોતાં ચોર્યાસી તાલુકો સુરત જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલો છે. જેની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર, દક્ષિણ દિશાએ નવસારી, પૂર્વ દિશામાં કામરેજ / પલસાણા તાલુકાઓ (જિ. સુરત) અને ઉત્તરે ઓલપાડ તાલુકો (જિ. સુરત) આવેલ છે. ચોર્યાસી તાલુકાનો દરિયાકાંઠો ૮ કિ.મી. ધરાવે છે. ચોર્યાસી તાલુકો 40 ચો.કિ.મી. માં પથરાયેલો છે જેનો વિકાસ અને આમ નગરજનોની જરૂરિયાતો પૂર્ણ કરવાની જવાબદારી હવે આસ્તિકભાઈ અને એમની ટીમે કરવાની રહેશે. જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઇએ પલસાણામાં વૈશાલી પટેલ, ઉપપ્રમુખ તરીકે સંદીપ રાઠોડ, કારોબારી નિલેષ દેસાઇ, શાસક પક્ષ નેતા ઉન્નતિબેન પાટે અને દંડક તરીકે વાસુદેવ પાટિલની નિમણૂક કરી છે. કામરેજમાં પ્રમુખ તરીકે અજિત આહીર, ઉપપ્રમુખ ભૂમિકાબેન પટેલ, કારોબારી રસિકભાઈ પટેલ, શાસક પક્ષ નેતા રાજુભાઇ પટેલ અને દંડક તરીકે પ્રવીણભાઈ ઢોડિયાની નિમણૂક કરી છે આમ 09 તાલુકા પંચાયતોની નિમણૂક કરી છે. સાથે સાથે નગર પાલીકામાં પણ પદાધિકારીઓની નિમણૂકો કરી સહુને શુભેચ્છા આપી છે. તાલુકા પંચાયત એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની પંચાયતિરાજની ખૂબ અગત્યની સંસ્થા છે. હવે પ્રત્યેક તાલુકા પંચાયતે કરવાના મહત્વના કાર્યો નીચે પ્રમાણે છે. સ્વાસ્થ્ય/સફાઈ ક્ષેત્રે: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલ, પ્રસૂતિગૃહો, ઔષધાલયો ચલાવવાં, ગ્રામ્ય પાણી પુરવઠાની યોજનાઓ પાણીનું પ્રદૂષણ અટકાવવું, કુટુંબ નિયોજનનું કાર્ય કરવું, શિક્ષણ : સમાજ શિક્ષણ ક્ષેત્ર: પ્રાથમિક શાળાની સ્થાપના અને સંચાલન પ્રાથમિક શાળાના ઓરડા બાંધવા, રમતગમતનાં મેદાનો બનાવવાં, ગામમાં 5000ની વસ્તી એક ગાર્ડન બનાવવો, સી સી ટીવી ની જોગવાઈ કરવી, અનૌપચારિક શિક્ષણ, પ્રૌઢશિક્ષણ અને સમાજશિક્ષણનાં કેન્દ્રો ચલાવવાં, કૃષિ-સિંચાઈ ક્ષેત્ર: ખેતીવાડી સુધારણા, સિંચાઈ બાંધકામ અને જમીન નવસાધ્ય કામગીરી ખેતી-સિંચાઈ માટે ધિરાણની વ્યવસ્થા ખેડૂતોના તાલીમ વર્ગો અને વિસ્તરણ કાર્યક્રમો યોજવા, ગોડાઉન સ્થાપવાં અને નિભાવવાં વોટરશેડ વિકાસનાં કામો કરવાં, પશુ સંવર્ધન ક્ષેત્ર : પશુદવાખાનાં અબે કૃત્રિમ ગર્ભધાનનાં કેન્દ્રો ચલાવવાં. ડેરી વિકાસને પ્રોત્સાહન આપવું, સમાજ કલ્યાણ અને સમાજસુરક્ષા ક્ષેત્ર : અસ્પૃષ્યતા નિવારણ: સમાજના નબળા વર્ગો, વિકલાંગો, નિરાધાર, વૃદ્ધો, વિધવા વ્યક્તા માટેની યોજનાઓ નિરાધાર લોકો માટે અનાથાશ્રમો સ્થાપવા અને ચલાવવાં, ગ્રામ વસવાટ ક્ષેત્રે : ગામતળનો વિકાસ અને ગ્રામીણ રહેઠાણોનું આયોજન કરી આપવાનું કાર્ય આવે છે આશા છે આ નવી ટિમ બખૂબી ઉપરોક્ત કામો કરી ગ્રામ્ય જનતાનું દિલ જીતી લેશે . . .
Yorumlar