સુરત જિલ્લા અને તાલુકા પંચાયતોના ટિકિટ વાંચ્છુઓએ નિરીક્ષકોએ સાંભળ્યા
- Praja Pankh
- Jan 28, 2021
- 2 min read
સુરત જિલ્લાની 01 અને તાલુકા લેવલની 07 આમ કુલ 08 ની સુનાવણી થઈ વધુ વિગતમાં સુરત ચોર્યાસી તાલુકામાં 14 સણીયા કણદે અનુસુચિત આદિજાતિ , 11 મોહણી અનુસુચિત આદિજાતિ સ્ત્રી, 02 બોણંદ અનુસુચિત આદિજાતિ સ્ત્રી, 16 વાંઝ અનુસુચિત જાતિ સ્ત્રી, 09 લાજપોર -01 બિન અનામત સામાન્ય, 10 લાજપોર-02 અનુસુચિત આદિજાતિ અને 07 કપ્લેથા બિન અનામત સામાન્ય સીટ માટે નિરીક્ષક ભરતસિંહ સોલંકી-સુમુલ ડેરી ડિરેક્ટર પલસાણા, ભક્તિબેન પટેલ જિલ્લા સંગઠન મંત્રી ઓલપાડ અને કમલેશભાઈ પટેલ કામરેજ સામે 24 ઉમેદવારોનું હિયરિંગ થયું છે.
પ્રજાપંખ સચિન :સુરત જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયતોના ટિકિટ વાંચ્છુઓએ સચિનના જલારામ અર્થ મુવર્સ ખાતે એક મંડપમાં ભેગા થયા હતા અને એક કે બાદ એક પધારેલ નિરીક્ષક ભરતસિંહ સોલંકી-સુમુલ ડેરી ડિરેક્ટર પલસાણા, ભક્તિબેન પટેલ જિલ્લા સંગઠન મંત્રી ઓલપાડ અને કમલેશભાઈ પટેલ કામરેજ સામે ઉપસ્થિત થઈ પોતાનું સેન્સ આપતા નજરે પડ્યા હતા. પધારેલ નિરીક્ષકો દ્વારા મળેલ માહિતી અનુસાર સુરત જિલ્લાની 01 અને તાલુકા લેવલની 07 આમ કુલ 08 ની સુનાવણી થઈ હતી. વધુ વિગતમાં જાણીએ તો આજે સુરત ચોર્યાસી તાલુકામાં 14 સણીયા કણદે અનુસુચિત આદિજાતિ , 11 મોહણી અનુસુચિત આદિજાતિ સ્ત્રી, 02 બોણંદ અનુસુચિત આદિજાતિ સ્ત્રી, 16 વાંઝ અનુસુચિત જાતિ સ્ત્રી, 09 લાજપોર -01 બિન અનામત સામાન્ય, 10 લાજપોર-02 અનુસુચિત આદિજાતિ અને 07 કપ્લેથા બિન અનામત સામાન્ય સીટ માટે હિયરિંગ થયું છે. તાલુકાનાં સંગઠન ઉપપ્રમુખ અશોકભાઈએ કહ્યું કે ભાજપ હમેશા દરેક ટિકિટ વાંચ્છુઓને ટિકિટ એમ ને એમ નથી આપતી. ભાજપ આ વખતે સર્વ શ્રેષ્ઠ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માંગે છે જેથી હિયરિંગ જરૂરી થયું છે. જેથી હવે આ વખતે કોને કોને ટીકીટ મળે છે તે જોવું રહ્યું છે જણાવ્યું છે. વધુમાં ભરતસિંહ સોલંકી (સુમુલ ડેરી ડિરેક્ટર) એ જણાવ્યુ કે, આ ચોર્યાસી તાલુકા અને જિલ્લાની બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેરવારોને અમે નિરીક્ષકોએ સાંભળ્યા હતાં. જેમાં સુરત જિલ્લા માટે 01 + 07 તાલુકા માટે આમ કુલ 08 બેઠકના ઉમેદવારો માટે ભાજપના હોદેદારો તથા કાર્યકરો અને આગેવાનો સાથે ઉમેદવારો હાજર રહ્યાં હતાં. અહી જિલ્લા માટે 03 ઉમેદવારોને અને તાલુકા માટે 21 આમ કુલ 24 જેટલાં ઇચ્છુક ઉમેદવારોને અમે સાંભળ્યા હતાં. આ તમામ ઇચ્છુક દાવેદાર ઉમેદવારો ચોર્યાસી તાલુકામાંથી આવ્યા હતા એ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
Comments