top of page

સુરત કેરલ સમાજે નવી સિવિલ હોસ્પિટલને ૬૦૦૦ પાણીની બોટલો અર્પણ કરીઃ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 5, 2021
  • 1 min read

સુરતઃબુધવારઃ- કોરોના કહેર વચ્ચે અનેક સમાજો, અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટરોથી લઈને નવી સિવિલ હોસ્પિટલમાં દરિદ્રનારાયણની સેવા માટે દાનનો ધોધ વહાવ્યો છે.



આજરોજ નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલ ખાતે સુરતના કેરલ સમાજ દ્વારા ૬૦૦૦ પાણીની બોટલ અર્પણ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્ય દર ત્રણ દિવસે કેરલા સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે. આજદિન સુધી બે લાખથી પાણીની બોટલો શહેરના વિવિધ આઈસોલેશન સેન્ટરો ખાતે વિતરણ કરવામાં આવી છે. જે દર્દીઓ, ડોકટરો તથા સગા સંબધિઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

-૦૦-

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page