સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં વિશ્વ નર્સિંગ દિન ઉજવાયો.
- Praja Pankh
- May 12, 2021
- 1 min read

વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પ્રેરક ઉપસ્થિતિ

સૂરતઃબુધવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં વિશ્વ નર્સિંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નવનિયુક્ત વાઇસ ચાન્સેલર શ્રી કે.એન ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમણે નર્સિંગ સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી કોરોના મહામારીમાં જીવન જોખમે તેમની અવિરત સેવાઓને બિરદાવી હતી, સાથે સફાઈ કર્મચારીઓને પણ તેમની સેવાની કદરરૂપે અભિનંદન પાઠવ્યા હતા.

વાઇસ ચાન્સેલરશ્રી ચાવડાએ નર્સિંગના વિદ્યાર્થીઓને દેશભક્તિની ભાવના સાથે દેશને આત્મનિર્ભર અને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સેવા ભાવનાને બિરદાવી હતી.
નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ઇન્દ્રાવતી રાવ, મેડિકલ કોલેજના ડીન ડો. ઋતંભરા મહેતા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.રાગિણી વર્માએ શાલ ઓઢાડી વાઇસ ચાન્સેલરનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, દિનેશ અગ્રવાલ, નિલેશ લાઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વાઇસ ચાન્સેલર શ્રી ચાવડાએ તેમની નિમણુંક બાદ દક્ષિણ ગુજરાતની ૩૫૦ કોલેજો પૈકી પ્રથમ મુલાકાત સરકારી નર્સિંગ કોલેજની લીધી હતી
Comments