top of page

સુભાષ ચંદ્ર બોઝ : ૧૨૬ મી જન્મ જયંતી નિમિત્તે સચિન ખાતે યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાશે...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 27, 2023
  • 1 min read


સચિન : સચિનનાં યુવા મોરચા નીરવ દેસાઇ પ્રમુખે જણાવ્યું છે કે

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નં.૩૦ (કનસાડ- સચીન- ઉન- આભવા ) દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જી ની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નં.30 ભાજપા યુવા મોરચા દ્વારા ખાસ રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરાયું છે. આજનો યુવા મહાન એવા સુભાષ ચંદ્ર બોઝનાં ગુણો ને અમલમાં મૂકવા લાગ્યો છે તેઓ નીડર અને ભય મુક્ત થઈ દેશ સેવા કરવા આગળ આવી રહ્યો છે આજે દેશમાં રક્ત ની સખત જરૂર છે. યુવાનોની ફરજ છે રક્તદાન કરી દેશ સેવા કરે, રકતદાતા નાં એક યુનિટ રક્તદાન થી ચાર લોકો નાં જીવન બચાવી શકાય છે જરૂરીયાત મંદ કોઈના ઘરનો આધાર કહો કે કમાતો પુત્ર કે પુત્રીને રક્તદાન કરી એમના પરિવારનો દીવો હંમેશા પ્રજ્વલિત રાખી શકીએ તેજ ખરી સેવા છે. અમારા ૩૦ નંબર વોર્ડના તમામ યુવાનો આ રક્તદાન કેમ્પને સફળ બનાવશે એવી આશા છે. મહામંત્રી અમિત શર્મા એ કહ્યું કે, અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે. આવો

સૌ સાથે મળી રક્તદાન કરીયે અને વધુ રક્તદાન કરાવીએ. અમારા રક્તદાન નું મુખ્ય સ્થળ છે હૈદરગંજ પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ ની સામે, સચીન અને કેમ્પની તારીખ 29/01/2023 રવિવાર છે. સમય : સવારે 09:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી રહેશે આ કેમ્પમાં ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઇ પણ મુખ્ય મહેમાન તરીકે પધારશે વધુમાં યુવા પ્રમુખ નીરવ દેસાઇ એ જણાવ્યું છે કે મને મારી યુવા મોરચા ની ટીમ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે રક્તદાન શિબિર સફળ બનાવશે.....


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page