સુધરાઈ મંડળના પ્રશ્નોના નિરાકરણ ન થતાં ૮ તારીખે આશ્ચર્ય જનક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું
- Praja Pankh
- Feb 5, 2021
- 1 min read

પ્રજાપંખ સુરત મહાનગર પાલિકા - સુધરાઇ ના ૯ મંડળો દ્વારા તારીખ ૮/૨/૨૦૨૧નાં રોજ સાંજે ૫ થી ૬ ધરણાં નો કાર્યક્રમ થશે અને સાંજે જ ૬ થી ૬:૩૦ સુધીમાં આશ્ચર્ય જનક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. ઇકબાલ શેખના જણાવ્યા મુજબ ગત વર્ષથી અમારા વિવિધ ખાતાઓના અધિકારીઓના , કર્મચારીઓના કામદારોના એક પણ પ્રશ્નો નું નિરાકરણ મનપા કમિશનરે આજદિન સુધી કરેલ નથી. કોરોનામાં ૨૬ જેટલા કર્મચારીનું અવસાન થયેલ છે જેમાંથી બે જ કર્મચારીઓને સહાય મળી છે અમુકના આશ્રિતોને હજી નોકરી મળી નથી, સચીન જેવા નવા વિસ્તારો નો સમાવેશ મનપા માં કરવામાં આવ્યો પરંતુ કામદારો અને કર્મચારીઓની નવી જગાઓ ઊભી કરવામાં આવી નથી હજી કોઈ ભરતી થતી નથી જેથી ઉપરોક્ત
તારીખ ૮/૨/૨૦૨૧નાં રોજ સાંજે ૫ થી ૬ ધરણાં નો કાર્યક્રમ થશે અને સાંજે જ ૬ થી ૬:૩૦ સુધીમાં આશ્ચર્ય જનક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે.
Comments