સંદીપ દેસાઈ એ આપી કોરોનાને માત.....જનતાની સેવા માં કાર્યરત.
- Praja Pankh
- Jan 9, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : પોતાના બીજી શિડ્યુલનાં અનેક કાર્યક્રમોમાં આપેલ હાજરી અન્વયે લોકપ્રિય નેતા સંદીપ દેસાઇ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં, એમણે ઘરે અને હોસ્પિટલમાં પોતાની સારવાર અને કવોરન્ટાઈનના કપરા ૧૪ દિવસ બાદ, કોવીડ-૧૯ને માત આપી છે. એમના સ્વાસ્થય માટે અનેક કાર્યકર્તાઓ સાથે ચિરાગ સિંહ કોર્પોરેટર અને ગ્રામ જનોએ મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેક જપ પણ કરાયા હતાં અને સહુની પ્રાર્થના રંગ લાવી અને તેઓ ફરી સ્વસ્થતા સહ સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીનો પુનઃ પ્રત્યક્ષ કાર્યભાર સંભાળી લીધો છે. વિકાસ કાર્યને પ્રથમ સ્થાન આપનારા પ્રમુખશ્રી સંદીપભાઈ દેસાઈ આજે સાંજે માજી સાંસદ અને સુમુલ ડેરી પ્રમુખ માનસિંહ પટેલ સાહેબ સાથે સાંસદ શ્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ સાથે ચર્ચા કરતાં દેખાયા હતાં.
Comments