સિદ્ધેશ્વર મહાદેવનો સ્થાપના દિન મનાવાયો....
- Praja Pankh
- Jun 16, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : આજે કનકપુર કૃષ્ણ કુંજ સોસાયટી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવજી નાં સ્થાપના દિવસે સવારે ૧૦:૩૦ કલાકે
જર્નલિસ્ટ ફેડરેશન ઓફ સચિન નાં પત્રકારો દ્વારા તથા સ્થાની વોર્ડ ૩૦ નાં નગર સેવકો દ્વારા ખાસ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કાયદા સમિતિ ચેરમેન શ્રી હસમુખભાઈ નાયકા, ટીપી સમિતિ સદસ્ય શ્રી ચિરાગ સિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય શ્રીમતી રીનાદેવી રાજપૂત અને ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંગઠન નાં પ્રમુખ અજિત સિંહ રાજપૂત તેમજ મંદિર પ્રબંધક અમિત રાજપૂત તથા અન્ય સદસ્યો હસ્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો જેમાં ૨૧ વૃક્ષો રોપ્યા હતાં બાદમાં સાંજે ભગવાન મહાદેવ નો અભિષેક કર્યો હતો અને બાદમાં મહા પ્રસાદી અર્પણ કરાઇ હતી.
Comentários