top of page

સમગ્ર ભાવસાર ક્ષત્રિય સમાજ દ્વારા હિંગળાજ માતાનો પ્રાગટ્ય દિવસ મનાવાયો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 9, 2021
  • 2 min read

:સુરત : હિંગળાજ માતાના મંદિરે ઘરે ભાવ ભક્તિ પૂર્ણ પૂજા અર્ચના કરી પ્રસાદી ધરાવી સુખ સમૃદ્ધિની પ્રાર્થના સાથે સમગ્ર વિશ્વ માં પથરાયેલી આજની કોરોના મહામારીમાંથી મુક્ત કરે એવી પ્રાર્થના પણ ભાવસાર ક્ષત્રિય સમાજે કરી


સચિન : ભાવસાર સમાજની કુળ દેવી એવી જાગતી માતા હિંગળાજ માં નો પ્રાગટ્ય દિન ફાલ્ગુન વદ ત્રયોદશી 9-4-2021 ના રોજ હતો જેની ભાવિક ભક્તોએ કોરોના ના નિયમો પાળીને મંદિરોમાં, ઘરોમાં સાદાઈથી ઉજવણી કરી હતી. માં હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ) માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત આ હિંદુ મંદિર છે. દંતકથા પ્રમાણે જ્યારે સતિના મૃત્યુ પછી શીવજીનો ગુસ્સો રોકવા ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે સતિના શરીરના ટુકડા થયા ત્યારે પ્રથમ એમનું બ્રહ્મરંધ્ર (માથું) નીચે ધરતી પર પડ્યું હતું. અત્યારે આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે, જેની પૂજા અર્ચના એમના અનુયાયીઓ ભાવિક ભક્તો કરતાં આવીયા છે. કહે છે હિંગળાજ દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી છે અને સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે. હિંગળાજ માતા જેમનું નિવાસ સ્થાન ઉપર મુજબ છે. તે હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનો ઇતિહાસ પણ રસપ્રદ છે. માતા હિંગળાજ દેવીના નામના સંબંધિત છંદ, ગીત, સ્તુતિ અવશ્ય મળી આવે છે. જેમાં એક માન્યતા એવી પણ છે કે, સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓ રાત્રીના સમયમાં રાસ રચે છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં માં પરત સમાઈ જાય છે. સાતો દ્વીપ શક્તિ સબ રાત કો રચાત રાસ । પ્રાત: આપ તિહુ માત હિંગલાજ ગિર મેં । ।

પ્રાચિન ગ્રન્થો પ્રમાણે અહિં "બ્રહ્મદ્રેય" નામનું મહત્વપૂર્ણ તત્વ છે. રામાયણમાં રાવણની હત્યા બાદ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થવા શ્રીરામ આ તિર્થ પર આવ્યા હતા તેમ માનવામાં આવે છે. ઋષી દધિચિએ હિંગળાજ માતાને જે મંત્ર સમર્પિત કર્યો હતો તે નીચે પ્રમાણે છે, " ૐ હિંગુલે પરમ હિંગુલે અમૃતરુપીણી તનુ શક્તિ મનઃ શીવે શ્રી હિંગુલાઈ નમઃ (સ્વાહા)" આનો અનુવાદ આ પ્રમાણે થાય કે,

"હે! હિંગળાજ માતા, જે સ્વયંમાં અમૃત ધારણ કરેલ છે, જે શીવમાં એકાકાર છે, તેમને અમે નત મસ્તક વંદન કરીએ છીએ, આપ અમારી પ્રાર્થના સ્વીકાર કરે (સ્વાહા) " આ રીતે આજે સમગ્ર ભાવસાર સમાજ તથા અન્ય સમાજો કે જેમની કુળદેવી હિંગળાજ માતા છે તેઓ એ ભાવ ભક્તિ પૂર્ણ માતાની પૂજા અર્ચના કરી પ્રસાદી ધરાવી સુખ સમૃદ્ધિની પ્રાર્થના સાથે સમગ્ર વિશ્વ માં પથરાયેલી આજની કોરોના મહામારીમાંથી મુક્ત કરે એવી પ્રાર્થના પણ કરી હતી

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page