top of page

સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં 50 વ્યક્તિઓનો ચક્ષુદાન નો સંકલ્પ કર્યો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 25, 2022
  • 1 min read

સક્ષમ સુરત દ્વારા કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત અભિયાન અંતર્ગત સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના કેમ્પમાં 50 વ્યક્તિઓ દ્વારા ચક્ષુદાનનો સંકલ્પ કર્યો....

પ્રજાપંખ સચિન : ગુરુવારે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં 50 વ્યક્તિઓનો સંકલ્પ કરાયો હતો. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ ડો.કેયુર માવાણીએ જણાવ્યું હતું કે લોકદ્રષ્ટિ ચક્ષુદાન કેન્દ્રના ડો. પ્રફુલ શિરોયા ની મદદથી ચક્ષુદાન અંગેનો કેમ્પ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 50 જાગૃત નાગરિકો દ્વારા ચક્ષુદાન નો સંકલ્પ જાહેર કરાયો હતો. તેમજ અંગેના ફોર્મ ભરીને ડોક્ટર પ્રફુલ શિરોયા અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ડોક્ટર પ્રફુલ સિવાય જણાવ્યું હતું કે દેહદાન અને ચક્ષુદાન જેવા સંકલ્પો દ્વારા વધુને વધુ લોકોને મદદરૂપ થાય તે માટે જાગૃત નાગરિકો આગળ આવે. જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન આયોજિત આ ચક્ષુદાન કેમ્પમાં ડોક્ટર જયસુખભાઇ ડાખરાએ , જયેશભાઈ મહેતા ઉપસ્થિત રહી જરૂરી મદદ કરી હતી. આ કેમ્પમાં ફિટનેસ ગુરુ અભિનવ પટેલે યોગ દ્વારા શારીરિક સ્વસ્થતા કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page