top of page

સચિન સત્ય સાંઈ ભક્તો બાબાનાં આરાધના દિને જરૂરિયાતમંદોની નારાયણ સેવામાં વ્યસ્ત થયા...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 24, 2022
  • 2 min read

પ્રજાપંખ સચિન : આપને જાણીએ છીએ તેમ શિરડીના બીજા અવતારે જન કલ્યાણ અર્થે જરૂરિયાતમંદ અને ભક્તોના જીવન નિર્ધાર માટે ભારતમાં શ્રી સત્યસાંઈ નો

જન્મ ૨૩  નવેમ્બર ૧૯૨૬ માં થયો અને પોતાની લીલા સમેટી એટલે એમનો સ્વર્ગવાસ થયો : ૨૪ એપ્રિલ ૨૦૧૧નાં રોજ જેને ભક્તિ આરાધના સમાધિ દિવસ તરીકે ઉજવે છે. જન્મ થી મરણ સુધીના આટલા વર્ષોમાં તો દુનિયાના ખૂણે ખૂણે આપ બાબાના ભક્તોને નારાયણ સેવા કરતાં નિહાળી શકો છો. આજે પણ સચિન ખાતેના સહુ સત્ય સાંઇ ભક્તો લાજપોર હળપતિ વાસમાં નિવાસ કરતા એવા પરિવારો કે જેમણે આજે બે ટંકનું ભોજન પણ નશીબ નથી એવા ૧૦૦ પરિવાર માટે પ્રથમ નાસ્તો કરાવ્યો બાદમાં અનાજ કિટ વિતરણ કરી તથા સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ કરી મુફ્ત દવાઓ પણ બાબા સાંઈનાં નામે અર્પણ કરી. તે પહેલાં મંદિરે ભજન કીર્તન અને આરતી કરી હતી. સાંઈ ભક્ત મહેન્દ્રભાઈ વાંસિયા અને રઘુવીર સિંહ વાંસિયા એ જણાવ્યું કે સત્ય સાંઇનાં જન્મ સમયે એ.પી. નાં પૂટ્ટપર્થી ગામે અચાનક વાદ્ય યંત્ર વાગતા થયા હતાં અને બીજી બાજુ સાંઈ એવા સત્યનારાયણ રાજુ નામે જન્મ થયો હતો. તેઓએ ૮

વર્ષના હતાં ત્યારથીજ ભજનો લખતા હતાં અને ૧૪ માં વર્ષે ૧૯૪૦ થી પોતાનું જીવન લોકોની સેવા માં સમર્પિત કર્યું હતું અને આજે વિશ્વ ધાર્મિક ગુરુ તરીકે પ્રખ્યાત છે. વિશ્વમાં ૧૭૮ જેટલા ભક્તિ કેન્દ્ર છે. આ કેન્દ્રો સત્ય સાઈ નાં આચરણ મુજબ કાર્ય કરે છે બાબા કહી ગયેલા કે કોઈપણ જરૂરતમંદ, દિન દુઃખી કે રોગીઓને મદદ કરવી હોય તો કોઈ પણ લાલચ વિના કરવી જોઈએ અને એજ માર્ગ સચિનનાં ભક્તોએ અપનાવ્યો છે અને એજ રીતે જરૂરિયાતમંદોની વિનાસ્વાર્થ સહાય કરતા રહીએ છીએ. જીવનમાં સત્ય, સારા વિચાર, પ્રેમ, શાંતિ, અહિંસા જેવા મૂલ્યો ને જકડી રાખી તેનું પાલન કરતા રહો આ બાબા નો ઉપદેશ છે. જેને અમે સચિન સત્ય સાંઈ મંદિરના ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તો પાલન કરી એમનું નામ લેતા રહીએ છીએ, આજના સત્ય સાંઈ જી નાં સમાધિ, આરાધના દિને લાજપોર નાં ગરીબ જરૂરિયાતમંદો ની નારાયણ સેવા કરી ધન્ય થઈ રહ્યા છીએ જણાવ્યું. આજે લાજપોરમાં સવારે નાસ્તો બાદમાં અનાજ કીટ

અને દવા તથા મેડિકલ કેમ્પ પ્રમખ શ્રી હર્ષદભાઈ દેસાઈના માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં ડોકટર મિશ્રા, રઘુવિરસિંહ વાંસીયા, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ વાંસીયા, નીશિતભાઈ, પ્રદીપસિંહ, જયેશભાઈ,પુનીતાભાઈ, કિશોરભાઈ, રાજુભાઈ,નવીનભાઈ તથા દક્ષાબેન, સાંતાબેન,કીર્તિબેન, ચંદનાબેન તથા અન્ય ભક્તજન ઉપસ્થિત રહ્યા હતાં અને સંપૂર્ણ સેવા આપી હતી...

 
 
 

Komentar


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page