સચિન વિભાગ: ગણેશ ઉત્સવ નિમિત્તે ડી સી પી સાગરજી નું નિવેદન. . .
- Praja Pankh
- Aug 28, 2022
- 3 min read
ઘર આંગણે પંડાલમાં તથા ફક્ત કુત્રિમ તળાવમાંજ
શ્રી જી નું વિસર્જન કરવું.


પ્રજાપંખ સચિન : સચિન અને જી આઈ ડી સી પોલિસ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે એલ. ડી હાઈસ્કૂલ ખાતે ડીસીપી સાગર સાહેબના અધ્યક્ષ સ્થાને ખાસ મિટિંગ મળી હતી , જેમાં ગણેશ મંડળ આયોજકો અને અગ્રણીઓ પધાર્યા હતા. જેમા સચિન પી.આઇ. શ્રી આર આર દેસાઇ એ સહુનું સ્વાગત કરી ગણેશ મંડળ આયોજકો અને પોલીસ તંત્ર વચ્ચે આ મિટિંગનું આયોજન સમજાવ્યું હતું. સમગ્ર શ્રી
જી સ્થાપન અને વિસર્જન બાબતે પૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી. ગણેશ આયોજકો અને પોલિસ તંત્ર વચ્ચે આજે આ ત્રીજી મિટિંગનું આયોજન હતું જેમા સરકારના જાહેરનામાનું પાલન બાબતે ગણેશ મંડળ આયોજકોને ડીસીપી સાગર સાહેબ
અને એસીપી માવાણી સાહેબ દ્વારા માહિતી અપાઇ કે શ્રી જી ની પ્રતિમાનું વિસર્જન તા. ૩૧ મી થી સચિન સુડા સેકટર ૩ ના કૃત્રિમ તળાવમાં જ કરવામા આવે તથા જે મંડળો પોતાના પંડાલમાં ગણેશ વિસર્જન કરશે તેમનું સ્થાનિક કક્ષાએ ભવ્ય સન્માન પોલીસ વિભાગ દ્વારા કરાશે, આ સાથે
વિસર્જન સમયે કથા પૂજા આગલા દિવસે કરાય તો સમયની બચત થશે. આયોજકોએ કોઈ હથિયાર
વિસર્જન સમયે કે મંડપ સ્થળે રાખવા નહિ. રોજ બેથી ત્રણ વ્યક્તિઓએ રાત્રી સમયે પ્રતિમાની કાળજી રાખવી, કોઈ પણ ધાર્મિક મજહબ નું અપમાન થાય તેવા ડીજે સોન્ગ ભજન વગાડવા નહિ કે પોસ્ટર લગાવવા નહિ. સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન રાખવું, કોઈ ને દુઃખ લાગે આવી પોસ્ટ કે વિડીયો મુકવા નહિ. અફવાથી દૂર રહેવું, લાગે તો પોલીસને જાણ કરો,
પોલીસ ટેકનોલોજી નો ઉપયોગ કરી રહી છે. કાયદો કોઈને બક્ષશે નહિ.એવા અનેક સુચન આપવામા આવ્યા . આજની મિટિંગમાં આર આર દેસાઈ, પી આઈ બગદાણિયા પી એસ આઇ હિરેનભાઇ મચ્છર, પી એસ આઈ એસ સી સંગાડા તથા સ્થાનિક ગણેશ આયોજકો, નગર સેવક ચિરાગસિંહ સોલંકી , વોર્ડ ૩૦ પ્રમુખ દીપક ચૌધરી,
સુરત શહેર મંત્રી ભીખુભાઇ પટેલ,
તથા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ મેહુલ પટેલ, કન્વીનર પ્રશાંત દેસાઇ, દેવર દેસાઇ, પ્રકાશ શર્મા, પિયુષભાઇ મોદી, રાજુભાઇ ભરવાડ, રાજકિય આગેવાનો સામાજિક સંસ્થાના અજિત સિંહ રાજપૂત, જર્નાલીસમ ફેડરેશન સચિનના પત્રકાર મિત્રો તથા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં, ડી સી પી સાગર સાહેબ ના નિવેદન પ્રમાણે આપણે બે વર્ષ બાદ ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે. જેમાં કઈ કઈ બાબતો પર ધ્યાન આપવાનું છે તથા નવા જાહેર નામા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમા ખાસ ગણેશ વિસર્જન દરમિયાન સરકારી ગાઈડ લાઇન મુજબ જ વહેલી તકે શ્રી જી નું વિસર્જન કરવું, કુત્રિમ તળાવની એસ એમ સી તંત્ર દ્વારા સુડામાં વ્યવસ્થાં કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન તરફથી એફ ઓ પી પણ મદદગાર થશે, સ્વયમ સેવકો જોડાશે, મંડપમા સી સી ટી વી જરુરી છે. માવાણી સાહેબે ચર્ચા દરમીયાન કહ્યું કે, જી આઈ ડી સી તરફથી આવતા ગણેશજી નો રૂટ
સાતવલ્લા પુલ પરથી નથી ત્યાંથી કોઈએ આવવું નહિ, બધાયે રેલવે ઓવર બ્રિજ પરથી કુત્રિમ તળાવ આવવું. આપની તમામ મુર્તીઓ માટીની જ હોવી જોઇએ પીઓપી ની એક પણ મૂર્તી નહી હોવી જોઇએ, આ સાથે મેહુલ પટેલે પણ કહ્યુ કે ગણેશ આયોજકોએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
સ્થાપન કરવી અને નૈતિક જવાબદારી સમજીને ગાઇડલાઇન નું પાલન કરવું અને સામાજિક રીતે લોકોમાં પર્યાવરણની સામાજિક જાગૃતિ અને અવેરનેસ આવે તેવા કાર્યક્રમો કરવા અને બેનરો લગાવવા પર ભાર મુક્યો હતો. ઘર આંગણે જ દરેક લોકોએ ગૌરી ગણેશ ની પ્રતિમા સોસાયટીમાં જ વિસર્જન કરે, સી સી ટી વી લગાવે, અંતે દેસાઇ સાહેબે આભાર વિધી કરી હતી. આજની મિટિંગના અધ્યક્ષ ડી સી પી સાગર સાહેબ અતિથિ તરીકે એફ ડિવિઝન એસીપી આર. એલ. માવાણી હતા , સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ આર આર દેસાઈ , જી આઈ ડી સી પી આઈ બગદાણિયા તથા નગર સેવક ચિરાગસિંહ સોલંકી, વોર્ડ ૩૦ પ્રમુખ દીપક ચૌધરી, સુરત શહેર મંત્રી ભીખુભાઇ પટેલ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ ઉપપ્રમુખ મેહુલ પટેલ , કન્વીનર પ્રશાંત દેસાઈ, દેવર દેસાઈ પ્રકાશભાઈ શર્મા, પિયુષભાઈ મોદી ,રાજુભાઈ ભરવાડ તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં .
Commentaires