સચિન વિભાગ કેળવણી મંડળના પ્રમુખ પદે સંદીપ દેસાઇ ફરી આરૂઠ થયા
- Praja Pankh
- Jan 9, 2021
- 2 min read
“સુરત જિલ્લા ની શેક્ષણિક સંસ્થાઓમાં અગ્રસર સચિન વિભાગ કેળવણી મંડળના હોદ્દેદારો પણ વરાયા”
સચિન : સચિન વિભાગ કેળવણી મંડળ સચિન સુરતના સાનિધ્યમાં ચાલતી 1954માં ગુજરાત રાજ્યના પ્રથમ સ્પીકર કલ્યાજી વી. મહેતાના પ્રમુખ પદે કરવામાં આવી હતી, વર્ષો જુની શૈક્ષણિક સંસ્થાના સંચાલકોના દીર્ઘ દ્રષ્ટિ અને મેનેજમેન્ટના ફળ સ્વરૂપે આજે આઈ.સી.નાયક પ્રાથમિક શાળા જુનિયર કેજી થી ધોરણ 8 સુધી, ઉપરાંત કલર ટેક્ષ ઇંગ્લિશ મીડીયામ સ્કૂલ જુનિયરથી છેક ધોરણ 12 સુધી અને એલ.ડી. હાઇ સ્કૂલ માધ્યમિક વિભાગ, શાંતાબેન છગનલાલ મોદી વિભાગ, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ તથા ગજરાબેન રણછોડજી નાયક વિજ્ઞાન પ્રવાહ કાર્યરત છે. આજ સંસ્થાના પરિસરમાં સચિનવાલા ફેમેલી મિલેનિયમ કોમ્પ્યુટર સેન્ટર એલ.એન્ડ.ટી. હજીરાના સહયોગથી કાર્યરત છે. જેમાં સીસીસી, ટેલિ, જીએસટી, ડીટીપી જેવા કોમયુટરના ત્રિ માસિક કોર્ષો ચલાવવામાં આવી રહ્યા છે. સુરતની હદ વિસ્તરણ પહેલાથી ગ્રામ્ય વિસ્તારના 4500 જેટલા વિધ્યાર્થીઓ જ્ઞાન ઉપાર્જન કરી રહ્યા છે. એલ એન્ડ ટી હજીરાના સહયોગથી કલર ટેક્ષ ઇંગ્લિશ મીડીયામ સ્કૂલના અધતન મકાનનું નિર્માણ પૂર્ણતાને આરે છે. સચિન કેળવણી મંડળના દર ત્રણ વર્ષે નવા પ્રમુખની રચના કરવામાં આવે છે. તે જ પ્રમાણે આજે સદર સંસ્થાની કારોબારી સભામાં ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ દિનકરભાઈ સી. નાયકના માર્ગદર્શનમાં પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે સંદીપ દેસાઇનું નામ મૂકવામાં આવતા જ તાળીઓના ગુંજથી સહુએ સંદીપભાઈને વધાવી લીધા હતા અને સહુ સદસ્યોએ શુભેચ્છા આપી હતી. આ સાથે ઉપ-પ્રમુખ તરીકે શ્રીમતી ગીતાબેન રણજીતસિંહ વાંસીયાં અને ચંદ્રસિંહ આઈ. વાંસીયાં, મંત્રી તરીકે દિનેશભાઇ એચ. પટેલ, સહમંત્રી તરીકે કિશોરભાઇ એમ.નાયક, ખજાનચી તરીકે નરેન્દ્ર્ભાઇ એમ. વૈદની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને સહુએ તાળીઓથી વધાવી લીધા હતા.
યુવા અને કર્મઠ સહુના લોકપ્રિય અને દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા સંદીપ દેસાઇની વરણી સહુએ આવકારી છે. આમ પણ આજે સંદીપ દેસાઇ ભાજપ સુરત જિલ્લા સંગઠન પ્રમુખ, ધી સુરત ડિસ્ટ્રીક કો.ઑ. બેન્કના ઉપ-પ્રમુખ, એ પી એમ સી માર્કેટના વાઇસ ચેરમેન , સુમુલ ડેરીના ડિરેક્ટર અને ચલથાન શુગર ફેકટરીના ડિરેક્ટર તરીકે તન મન થી સેવા આપી રહ્યા છે.
Comments