top of page

સચિન વિભાગની જનતા જોગ : આપના ઘરમા એમને એમ પડી રહેલા વસ્ત્રો દાન કરવાની સંધિ.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 2, 2021
  • 2 min read

કોઇકે ખુબ કહ્યું છે, ખરેખર મંદીરમાં દાન કરતાં પહેલાં આજુ-બાજુની પરીસ્થિતી જોઇ લેવી જોઇએ.


સચિન પ્રજાપંખ : મિત્રો આપણે જાણીએ છીએ તેમ હિન્દૂ ધર્મમાં દાન-પુણ્યનું ઘણુ મહત્ત્વ છે.

અને ખાસ તો વસ્ત્ર દાન કરનારને ઇશ્વર તેનું કેટલા ગણુ વધારે ફળ આપે છે એ સહુ જાણે છે. સચિન ખાતેના વર્ષોથી સામાજીક સેવા કરતાં આગળ રહીને કાર્ય કરનારા, કાતિલ ઠંડીમાં થર થરતા ગરીબોને ગરમીના ધાબડા પુરા પાડતાં કે, કોરોનામાં જમવાનું આપનારા એવા કર્મઠ અગ્રણી યુવા કાર્યકર રાજેંદ્ર શેખાવતને એક બહુ સુંદર વિચાર આવ્યો છે, ગુજરાતમા અંતરિયાળ ગામોમા રહેતા આપણા ગરીબ આદિવાસી ભાઇ બહેનો અને એમનાં પરીવારનું તન ઢાંકવા કૈક કરીએ, એમ જણાવી કહ્યું કે, અમે સચિન ચાર રસ્તા પાસેના સિધ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ખાતે એક મંડપમાં વસ્ત્રનું કલેક્શન લઇશું, આ ભગીરથ કાર્યમાં આપણે બધા મળીને વસ્ત્રદાન અભિયાન ચલાવીશું, આ વસ્ત્રદાન અભિયાનમાં આપ સચિન વિભાગના સમાજ સેવકો, અગ્રણી સહુ પરીવારો બાળકો, સંસ્થાઓ જોડાઈ આ કાર્યને પુર્ણ કરીશું. રાજેંદ્ર શેખાવત દ્વારા શરૂ કરવામાં આવેલું આ વસ્ત્રદાન અભિયાન પ્રશંસનીય છે. અનેક લોકો અભિયાનમાં જોડાઇ રહ્યા છે. વસ્ત્રદાન અભિયાન અંતર્ગત સચિન શહેરમાં વિવિધ જગ્યાએથી 8866612555 મોબાઇલ કરવાથી તેઓ વસ્ત્રદાન કલેક્શન કરી લઇ. સચિન ચારરસ્તા કાઉન્ટર પર પોહ્નંચતા કરશે, આપ વ્યક્તિગત રીતે પણ વસ્ત્રદાન કરી શકો છો. સાથે સાથે સામૂહિક રૂપમાં સોસાયટી, સંસ્થા આ અભિયાનમાં જોડાઈ શકે છે એવું પણ જણાવ્યુ છે. જે વસ્ત્રો આપના ઘરોમાં એમને એમ પડી રહ્યા છે. આપના ઉપયોગમાં ન આવતાં હોય, તે વસ્ત્રો સચિન ચાર રસ્તા સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ પાસેના કલેકશન કાઉન્ટર મંડપ પર પોહંચતા કરી શકો છો. આપનાં ત્યાના વસ્ત્રો કોઇના કામે આવે ત્યારે ગરીબોની દુઆ પ્રાપ્ત કરી શકીશું જે માટે આ શુભ અવસર આવ્યો છે. કોઇ કે ખુબ કહ્યું છે, ખરેખર મંદીરમાં દાન કરતાં પહેલાં આજુ-બાજુની પરીસ્થિતી જોઇ લેવી જોઇએ.

આ વસ્ત્ર દાન અભિયાન રવિવાર તા. ૦૩/૧૦/૨૧ થી ૦૬/૧૦/૨૧ સુધી ચાલશે.

 
 
 

Commentaires


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page