top of page

સચિન રેલવે કમિટીની માંગ મુજબ ની ટ્રેન શરૂ થતાં સચિન અને રોજીંદા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 2, 2022
  • 1 min read

સચિન થી મહારાષ્ટ્ર જવા માંગણી મુજબ મુંબઈ નદુરબાર express ટ્રેનને અપાયુ નવું સચિન સ્ટોપેજ...મહારાષ્ટ્ર વાસીઓમાં પણ આનંદની લાગણી છવાઈ ....


સચિન પ્રજા પંખ : સચિન રેલ્વે કમિટીએ પી.એ.સી. ઇન્ડિયન રેલ્વે સદસ્ય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબને કરેલ રજૂઆતોનો ને રેલ્વે એ ધ્યાને રાખી, રેલ્વે બોર્ડ દ્વારા કોરોનામાં બંધ થયેલ ટ્રેનો હવે ફરી તા.૬/૬/૨૦૨૨ થી શરૂ કરશે, ત્યારે સચિન સ્ટેશને નીચેના સમયે આ ટ્રેનો ઉભી રહેશે....

૧:વલસાડ બરોડા સવારે ૭:૧૦

૨:બરોડા વલસાડ સાંજે ૧૮:૫૭

૩:મુંબઈ અમદાવાદ સાંજે ૨૦:૪૫

૪:અમદાવાદ મુંબઈ સવારે ૬:૩૬

૫:મુંબઈ નંદુરબાર સવારે ૪:૪૫

૬:નંદુરબાર મુંબઈ સાંજે ૧૮:૩૯

મુંબઈ નંદુરબાર ટ્રેન ૭/૬/૨૦૨૨ થી શરૂ થશે


આ તબક્કે કમિટીએ માનનીય પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ, પી.એ.સી. ઇન્ડિયન રેલ્વે સદસ્ય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ અને રેલવે બોર્ડ નો આભાર માન્યો છે. આ તબક્કે શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળ સચિનના પ્રમુખ લક્ષ્મણ પાટીલ સ્થાપક પ્રમુખ પ્રકાશ ભાવસાર તથા અન્ય તમામ પદાધિકારીઓ અને સહુ મહારાષ્ટ્ર પરિવારએ પણ માનનીય પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ, પી.એ.સી. ઇન્ડિયન રેલ્વે સદસ્ય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ અને રેલવે બોર્ડ નો આભાર માની મુંબઈ નંદુરબાર ટ્રેન નું સ્ટોપ મળતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ છે.

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page