top of page

સચિન મરાઠી મહિલા મંડળ દ્વારા કેવડા ત્રીજ પૂજાનું આયોજન કરવામાં આવ્યું -

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 9, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : હર્તાલિકા તીજ (કેવડા ત્રીજ) એટલે કે 9 સપ્ટેમ્બર, આજ રોજ ગુરુવારે કેવડા ત્રીજ, હરતાલિકા તીજની મહાપૂજા નું આયોજન સિદ્ધિ વિનાયક મંદિર, કૃષ્ણ કુંજ સોસાયટી કનકપુર ખાતે સચિન વિભાગ મરાઠી મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અસંખ્ય કુંવારિકાઓ અને સુહાગન બહેનો પૂજા કાર્ય માટે પધારી હતી, હર્તાલિકાના દિને ઉપવાસ કરતી પરણિત મહિલાઓ પોતાના અખંડ સુહાગ માટે તથા કુંવારિકાઓ સારો પતિ મળે, જે માટે અન્ન જલ તથા ધનધાન્ય વગરનો ૨૪ કલાકનો ઉપવાસ કરે છે તો કોઈ ઘણા ફ્રૂટ ખાઈને પણ ઉપવાસ કરે છે. પ્રથમ વખત ઉપવાસ કરતી સ્ત્રીઓમાં તથા કુંવારિકાઓમાં પૂજા કરવામાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. હરતાલિકા તીજ પર, પધારેલ બહેનોએ ધાર્મિક વિધિ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીની મન:પૂર્વક પૂજા કરી હતી. ગત રોજ અહી રેતી દ્વારા શિવલિંગ મૂર્તિ બનાવીને ભગવાન શંકર, માતા પાર્વતી અને ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરી હતી. આ કાર્યક્રમનું આયોજન સચિન વિભાગ મરાઠી મહિલા મંડળ દ્વારા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં અસંખ્ય બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page