top of page

સચિન પોલીસે ₹ ૧,૩૬,૦૦૦/- મુદ્દા માલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 23, 2022
  • 2 min read

સચિન પ્રજાપંખ : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ.ડીવિઝન સાહેબશ્રી નાઓએ હાલમા સ્પેશ્યલ પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે પ્રોહી. જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે તારીખ-૨૨/૦૭/ ૨૦૨૨ નાં રોજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો અરવિંદભાઇ ઉંગાભાઇ તથા અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે સચીન નવસારી મેઇન રોડ સ્લમબોર્ડ ના નાકા પાસે રોડ ઉપર જાહેરમાં નીચે જણાવેલ પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીએ એકબિજાની મદદગારી કરી ઉપર બતાવેલ તા.ટા. અને જગ્યાએ પોતાના કબજા ભોગવટાની પોપટી, બ્લેક કલરની બજાજ કંપનીની થ્રીવ્હીલ ઓટો રીક્ષા રજીસ્ટર નંબર-GJ-05-BY-5587 જેની કિ.રૂ,૧,૦૦,૦૦૦/- ની મા વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ-૨૪૦ કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા અંગ ઝડતી લેતાં મોબાઇલ ફોન નંગ-૦૨ કિમત રૂ.૬,૦૦૦/-તથા બજાજ થ્રીવ્હીલ ઓટો રીક્ષાની ચાવી નંગ ૦૧ કિમત રૂ.૦૦/- મળી કુલ્લે કિ. રૂ.૧,૩૬,૦૦૦/- ની મત્તા મુદામાલ સાથે હેરાફેરી કરતા ઝડપાઈ જઇ તથા વોન્ટેડ આરોપી હાજર નહી તે પણ મળી આવી ગુનો કર્યા છે જે બાબતે નાં પકડાયેલ ઇસમોને હાલમાં વિશ્વભરમાં તેમજ ભારત-ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણ ચાલુ હોય જેથી આરોપીઓનો કોરોના COVID-19 વાયરસ નો ટેસ્ટ કરવા માટે તજવીજ હાથ ધરેલ છે અને તેમના પર કલમ-૬૫ (એ)(ઇ), ૯૮ (૨), ૮૩,૮૧ મુજબની કાર્યવાહી પણ કરવામાં આવી છે જેની તપાસ પી એસ આઈ એચ.જે.મચ્છર કરી રહ્યા છે જેમણે આરોપીની વધુ વિગત જણાવતા કહ્યું કે, આરોપીના પૂર્વ ઇતીહાસ એટલે (૧) યુસુફ S/O આસીફ શેખ ઉ.વ.૨૨ ધંધો-રીક્ષા ડ્રાઈવર. રહે-૧૨૬,ગરીબનવાઝ નગર, ભીંડી બજાર, ઉન સચીન GIDC સુરત (૨) વિકી S/O રામકુમાર ગુપ્તા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે-ઉડુપી હોટેલ પાછળ, ઝુપડપટ્ટીમાં, ઉધના ત્રણ રસ્તા સુરત જે વોન્ટેડ આરોપી–(૩) ચિરાગ ઉર્ફે સુજ્જો S/O નાનુભાઇ ઠાકુર રહે-સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત છે પી આઇ આર આર દેસાઈના માર્ગદર્શન માં આ કામગીરી કરી આરોપીઓ પર ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં (૧) પો.ઇન્સ શ્રી આર.આર.દેસાઇ (૨) પો.સ.ઈ શ્રી એચ.જે.મચ્છર

(૩) પો.સ.ઇ શ્રી પો.સ.ઇ એસ.આઇ.દેસાઇ (૪) એ.એસ.આઇ પિતામ્બર વ્યકટ

(૫) અ.હે.કો.ગજેન્દ્રદાન ગંભીરદાન

(૬) અ.હે.કો અરવિંદભાઇ ઉગાભાઇ

(૮) અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ

(૭) અ.પો.કો. વિજયસિંહ ભગવાનભાઇ (૯) અ.પો.કો મુકેશભાઇ શિવાજી (૧૦) એલ.આર.રામશીભાઇ જગમાલભાઇ હતાં અને કલમ-૬૫(ઇ)(એ),૯૮(૨),૮૩,૮૧ મુજબનો ગુન્હો ટીમ વર્કથી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસર કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page