સચિન પોલિસ સ્ટેશનના વિસ્તારનાં કનકપુરનાં ગ્લોરીના વેલીમા હત્યાનો બનાવ –
- Praja Pankh
- Jun 28, 2021
- 2 min read


સચિન પ્રજાપંખ : પોલિસ તરફથી પ્રાપ્ત થતી માહીતી આધારે વોચમેન દ્વારા ચોર સમજીને માર મરાયો હતો – સચિન પોલિસે ચારો આરોપીને ગણત્રીના કલાકોમાં ઝડપી ગ્લોરીના વેલીમાં થયેલ હત્યાનો ભેદ સચિન પોલીસે ગણતરીમાં જ ઉકેલી પ્રશંસનિય કામગીરી કરી છે.
આ બનાવનુ સ્થળ સચીન ગ્લોરીના વેલી રીસોર્ટ સોસાયટી બી- ૧૩૨ સુરત મરણ હાલતમા ઇસમ મળી આવેલ હતો જેને પી એમ માટે મોકલી આપેલ જેનો રિપોર્ટ આવતાજ પોલિસ ઇન્સપેકટર એન.એ. દેસાઇ દ્વારા તપાસ કરી એફ.આઇ.આર.નંબર પાર્ટ એ- 11210054 212304/21 ઇ.પી.કો.કલમ – ૩૦૨, 114 તથા જી.પી.એક્ટ કલમ – 135 (1) મુજબ ગુન્હો નોંધી તપાસ આદરી હતી જેમાં તા ૨૫ ના રોજ સાંજે ટાઇલ્સ બેસાડવાની મજૂરી કરતાં મરનાર આનંદ રમાનીની હત્યા ચોરીની આશંકાએ કરી હતી આ હત્યા ગ્લોરીના વેલીના વોચમેન સહિત ચાર જણાએ કરી હતી જે આરોપીઓને સચિન પોલીસે કલાકોમા ઝડપી પડ્યા હતાં. મરનાર આનંદ રમાની વર્ષ ૩૦ ઉપર ચોરીની શંકા રાખી ૪ અજાણ્યાઓએ તેને પકડીને ઢીક મુક્કીનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાંખી હતી. આ મામલે મૃતકની પત્નીએ સચીન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જે આધારે ગ્લોરીના રેસિડેન્સીના એક વોચમેન સહિત ચાર આરોપીને ઝડપી પાડયા છે. આ અંગે વધુ જાણવા મળતી વિગત અનુસાર મુળ ઝારખંડના વતની અને છેલ્લા બે વર્ષથી સચીન સાંઇનાથ સુડા સેક્ટર-૧, પ્લોટ નં.૫૧, રૂમ નં.૧૬, રહેતા સીતાદેવી આનંદ બિરેન્દ્ર રમાએ સચીન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેમના પતિ આનંદ બિરેન્દ્ર રમા ટાઇલ્સ બેસાડવાની મજુરી કામ કરતો હતો ત્યારે ગત રોજ ૨૫-૬ ના રોજ સાંજના અંદાજીત ચાર વાગે આનંદ રમા સચીન ગ્લોરીના વેલી પાસેથી પસાર થતો હતો, ત્યારે તેની ઉપર ચોરીની શંકા રાખીને અજાણ્યાઓએ ઢીક મુક્કીનો માર મારવા ઉપરાંત તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાને પગલે આનંદ રમાનું મોત નિપજ્યું હતું. શુક્રવારે સાંજના સમયે બનેલી ઘટના અંગે સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગ્લોરીના રેસિડેન્સી સહિત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકોની પૂછપરછને આધારે પોલીસે કુલ 4 હત્યારાઓને તરતજ ઝડપી પાડ્યા છે. આમ પોલિસ ઇન્સપેકટર એન.એ. દેસાઇ ની ઝીણવટ ભરી તપાસથી સચિન પોલીસે ગણતરીના સમયમાં જ નિર્દોષ યુવકની હત્યા કરનાર આરોપી ચંપક ડાયા પટેલ, પુરસોત્તમ રવિન્દ્ર પાટીલ, વિજય બહાદુર યાદવ, પ્યારેલાલ પંડિતની ધરપકડ કરી તેમના કોવિડ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે.
Comments