સચિન તેરાપંથ મહિલા મંડળ દ્વારા પ્રેરણા સન્માન સમારોહ યોજાયો .
- Praja Pankh
- Mar 12, 2021
- 2 min read
સચિન : અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના નિર્દેશન મુજબ તેરાપંથ મહિલા મંડળ સચિન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત નવકાર મહામંત્રથી થઈ હતી. મહિલા મંડળ દ્વારા મંગલાચરણ કરાયું હતું. મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શશી કોઠારીએ તમામ મુલાકાતીઓને આવકાર્યા હતા અને ડોકટરોનો પરિચય આપ્યો હતો. અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળે આ વર્ષે ઉમેરવામાં આવેલા ત્રણ પ્રોજેક્ટ્સ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી- અન્ન બચાવો અન્નપૂર્ણા યોજના, સ્વચ્છ પ્લેટ અભિયાન, પાણી બચાવો અને પર્યાવરણીય પ્રોજેક્ટ્સ અને જાગૃતિ અભિયાનના બેનરનું અનાવરણ અધ્યક્ષ્યા શ્રીમતી શશી અને તમામ મહેમાનો દ્વારા કરાયું હતું. પ્રસંગને અનુરૂપ મુખ્ય અતિથિ (માજી નગર પાલિકા પ્રમુખ) જયરાજ કુંવરબાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જો મહિલાનું સન્માન કરવામાં આવે અને તેને સાથ સહકાર આપવામાં આવે તો એક સુંદર ભવિષ્યની કલ્પના કરી શકાય છે. તેમના જીવનના પ્રેરણાદાયક પ્રસંગ વર્ણવી સહુને પ્રેરણા આપી હતી અને સમજાવ્યું કે જો સ્ત્રી કંઈક કરવા માટે સંકલ્પબદ્ધ છે, તો તેઓ તેમના જીવનમાં જે મુકામ હાંસિલ કરવા ઇચ્છે તેઓ પ્રાપ્ત કરી શકે છે. ડોક્ટર ગીતા સાંવલિયાએ 35 થી 40 વર્ષની વયની મહિલાઓ વિશેની માહિતી આપી હતી, તેઓને ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સર માટે પરીક્ષણ કરાવવું જોઈએ કહ્યું હતું. ડોક્ટર નીલિમા નોટિસવાળાએ જણાવ્યું હતું કે યોગ, પ્રાણાયામ અને મોર્નિંગ વોક જીવનમાં બહુ જ જરૂરી છે અને કોરોના રસી બધાએ લેવી જોઈએ અને તેની કોઈ આડઅસર નથી જણાવ્યુ. પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીયા વિધ્યાલયના બી.કે. સવિતા દીદીને તેમના જીવનમાં પાણીનું મહત્વ સમજાવ્યું છે. માજી નાગર પાલિકા પ્રમુખ રક્ષાબેન પટેલે મહિલા સશક્તિકરણ વિશે સમજાવ્યું હતું. દીપિકા ભાવસાર દ્વારા સરકાર દ્વારા અપાયેલી યોજનાઓ વિશે સમજાવ્યું. અંતે પૂર્વ પ્રમુખ સીમા મહેતાએ કહ્યું હતું કે, જ્યારે કામ કરવાની વાત આવે છે, ત્યારે તે મહિલા ગમે તે રૂપે પણ તેનો સામનો કરી શકે છે અને કામને પૂર્ણ કરે છે. આશાજી મહેતાએ કવિતા દ્વારા સ્ત્રીનું જીવન સમજાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મહિલા મંડળના પ્રમુખ શશી કોઠારી અને સહુનો આભાર મંત્રી રિંકુ મુનોત દ્વારા કરવામાં આવ્યો હતો.
Comentários