સચિન જીઆઈડીસીમાં A સબ-સ્ટેશન માંથી નીકળતા પાવર માં ધાંધિયા...
- Praja Pankh
- Mar 5, 2021
- 2 min read

સચિન : હમેશાં પાવર ના ધાંધિયા બાબત માજી સેક્રેટરી
મયુર જે. ગોળવાલામાજી પ્રમુખ નિલેશ એમ. ગામી દ્વારા જણાવાયું કે, સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે
ઘણા દુઃખ ની વાત છે કે, કેટલાક દિવસોથી A સબ-સ્ટેશન માંથી નીકળતા 18 જેટલા ફિડરોમાં પાવર કલાકો સુધી જવાનું પ્રમાણ અને ટ્રીપિંગ ની સમસ્યા ઘણી વધી ગઈ છે જેનુ મુખ્ય કારણ તમામ પેનલો ઓવરલોડ ચાલી રહી છે એટલું જ નહીં કેટલાક A સબ-સ્ટેશન ના ફિડરોમાં છેલ્લા સાત દિવસમાં પાંચ દિવસ પાવર કટ થયો જેના કારણે ઉદ્યોગકારોના વેપાર-ધંધા અટવાઈ રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે.
વધુમાં જણાવવાનું કે, દિવસે દિવસે ઉદ્યોગકારોની તકલીફો વધતી જવાની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સચીન જીઆઇડીસી ની હાલત અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી થઇ છે. ચારેકોર અણઘડ વહીવટ. સચીન જીઆઇડીસી સાથે જોડાયેલા મુખ્ય સહકારી ખાતા જેવા કે નોટિફાઇડ, ડીજીવીસીએલ, જીઆઇડીસી અને પોલીસ ખાતું લગામ વગરના ઘોડા જેવા બન્યા છે અને જ્યારે જીઆઇડીસીમાં ઉદ્યોગકારોને પ્રશ્નો ઊભા થાય છે ત્યારે આ સરકારી ખાતાઓ કંઈક જવાબ આપે અને સોસાયટીના હોદ્દેદારો કંઈક અલગ જવાબ આપે. ટૂંકમાં તેઓને જ નથી ખબર કે અમારે પરિસ્થિતિઓને કઈ રીતે ટેકલ કરવી જોઈએ,
હવે મૂળ પ્રશ્ન ઉપર ફરી પાછા આવીએ જેમાં A સબ-સ્ટેશનમાં પાવર વધારે પ્રમાણમાં જઈ રહ્યો છે જેની ફરિયાદ આજરોજ ડીજીવીસીએલના ચીફ એન્જિનિયર શ્રી તન્ના તથા અધિક્ષક ઈજનેર શ્રી બી.કે.પટેલ અને કાર્યપાલક શ્રી ડી.ડી.પટેલ ને કરવામાં આવી છે સાથે સાથે જેટકો ના કાર્યપાલક મેડમ શ્રીમતી પન્ના ને પણ કરી છે. અધિકારી શ્રી ઓએ આશ્વાસન આપેલ છે કે, અમો A સબ-સ્ટેશનમાં પાવર જવાની સમસ્યાનું નિરાકરણ જલદી લાવવા પ્રયત્નશીલ છે.
વધુમાં A સબ-સ્ટેશન માં પાવર કટની સમસ્યા નુ નિરાકરણ કાયમી ધોરણે લાવવુ હોય તો રોડ નંબર 2 ના ખૂણે નવું પાંચમું E સબ-સ્ટેશન જલદીમાં જલદી બનાવવું ખૂબ જરૂરી બન્યું છે. જેનાથી સર્વે ઉદ્યોગકાર મિત્રોને ભવિષ્યમાં પાવરનો ફાયદો થશે એવું માજી સેક્રેટરી મયુર જે. ગોળવાલા માજી પ્રમુખ નિલેશ એમ. ગામી એ જણાવ્યું છે.
댓글