top of page

સચીન જી.આઇ.ડી.સી.માં બનેલી દુર્ઘટનામાં અસરગ્રસ્ત દર્દીઓની જિલ્લા કલેકટરે નવી સિવિલ ખાતે મુલાકાત લીધી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 7, 2022
  • 1 min read

પ્રજાપંખ સુરત શહેરના સચીન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં મળસ્કે ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી ગેસની અસરના કારણે આસપાસના શ્રમિકોને ગેસના કારણે ગંભીર અસર થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિક દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમની આજરોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે મુલાકાત લઈ તેમની સારવાર સંદર્ભે ડોકટરો સાથે ચર્ચા કરી હતી. મીડિયા સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સચીન જી.આઈ.ડી.સી.માં સવારે ૬.૦૦ વાગે ગેસ લીકેજના કારણે ૬ લોકોના મૃત્યૃ થયા છે જયારે ૨૩ દર્દીઓ નવી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી સાત વેન્ટીલેટર પર છે. સિવિલના નિષ્ણાંત ડોકટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે. જયારે જી.પી.સી.બી. તથા એફ.એસ.એલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page