સચિન ખાતે રીક્ષા ચાલકો માટે બે દિવસ ફ્રી નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો...
- Praja Pankh
- Feb 25, 2022
- 2 min read
સચિન : પ્રથમવાર સતત બે દિવસ જગન્નાથ મંદિર ટ્રસ્ટના જગન્નાથ હોલમાં ચાલતા રીક્ષા ડ્રાઇવરો માટેનો "નેત્ર યજ્ઞ શિબિર"નું ઉદ્દઘાટન રોટરી કલબ ઓફ સુરત તાપી ના પ્રેસીડેન્ટ નેહલબેન શાહ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર રૂપલબેન હસ્તે કરવામાં આવ્યો, આ શુભ પ્રસંગે ડૉ.રણજીતસિંહ વાંસીયા તથા પવનભાઈ જૈન અને સુરેશભાઈ પીછોલિયા, રોટેરિયન અબ્દુલ રઝાકભાઈ સૈયદ, રાકેશ ગોહિલ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. બે દિવસ ચાલેલા રીક્ષા ચાલક માટેના આ નેત્ર કેમ્પમાં કુલ ૧૨૩ રીક્ષા ચાલકોની તપાસણી થઈ હતી. જેમાંથી ૫૯ મિત્રોને નજીકના ચશ્મા જ્યારે દૂરના ચશ્માનો ૧૨ વ્યક્તિઓને લાભ અપાશે ઉપરાંત ૧૩નાં ઓપરેશન થશે. જ્યારે ૩૯ રીક્ષા ચાલકોની આંખ સારી જણાઈ આવી હતી. આ સાથેનાં આ નેત્ર કેમ્પની મુલાકાતે અનેક મહાનુભાવો પણ પધાર્યા હતાં, જેમાં ઉધના ઝોન ઓફિસ અધિકારી ડે.કમિશ્નર એચ.વી. કિનખાબવાળા, ટીપી સમિતિ સદસ્ય, ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય, રીનાબેન રાજપૂત, બાંધકામ સમિતિ સદસ્ય, પિયુશાબેન પટેલ, કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઈ નાયકા ઉપરાંત ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ પ્રમુખ અજીતસિંહ રાજપૂત, છઠપૂજા સમિતિ પ્રમુખ ચંદ્ર કિશોરસિંહ, માજી સરપંચ ઉમ્બર ધનસુખ પટેલ, જગન્નાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ રઘુવીર સિંહ વાંસીયા, ભગીરથ બેહરા, નરસિંહભાઈ, ગોપી ભાઈ તથા મહારાષ્ટ્ર મહિલા મંડળ પ્રમુખ પૂનમ ભાવસાર અને ભાજપ મહિલા મહામંત્રી પ્રીતિ પટેલ, બાબુભાઈ મેલેરિયા, કપલેથા સરપંચ સુફિયાન અને પ્રમુખ સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. બે દિવસ કાર્યરત આ નેત્ર કેમ્પમાં ઉદઘાટક સુરત તાપી રોટરી કલબ પ્રમુખ નેહલબેન શાહે પોતાના પ્રવચનમાં રોટરી દ્વારા થતાં પ્રજાલક્ષી કાર્યક્રમોની વાતો સાથે અદના માનવો સુધી સેવા પહોંચતી કરવી એ રોટરી નો મુખ્ય હેતુ છે. આજે રીક્ષા ડ્રાઇવરો માટેનો કેમ્પ છે ટુંક સમયમાં જનરલ આઇ કેમ્પ પણ ગોઠવાશે જણાવ્યું, આ સાથે ડે. કમિશનર કિનખાબ વાળાજી એ પણ કહ્યું કે, રોટરી માં ૧૨ લાખ સેવકો જોડાયા છે. ચાર વ્યક્તિઓથી શરૂ થયેલી સંસ્થા આજે પણ એના સેવાકિય કાર્યના કારણે અગ્રેસર છે, પોલિયો નાબૂદી અભિયાન માં રોટરી પ્રથમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝ માં સહુથી વધુ મદદ રોટરી કરે છે. વિશ્વની પ્રખ્યાત રોટરી કલબ સાથે કામ કરવું એ મોટું સૌભાગ્ય છે જણાવ્યું જ્યારે હસમુખભાઈ નાયકા કાયદા સમિતિ ચેરમેન એ પણ સમાજમાં આવા કાર્યક્રમો બહુ જરૂરી છે જેથી આવા કાર્યક્રમ થી વ્યક્તિ સ્વસ્થ તો દેશ સ્વસ્થ્ય રહેશે. જગન્નાથ ટ્રસ્ટ પ્રમુખ રઘુવીર સિંહ વાંસીયા અને ભગીરથ બેહરા એ પણ રોટરી સુરત તાપી અને આર સી સી સચિન કનકપુર સાથે આવા માનવ કલ્યાણના કાર્યક્રમો કરતાં રહીશું. નેહલબેનને જનરલ આંખના કેમ્પ માટે પણ રજૂઆત કરી છે. આ ઉપરાંત અનેકો એ પોતાના પ્રવચનોમાં લાભાર્થીઓને અને રોટરી સુરત તાપી અને આરસીસી સચિન કનકપુરને તથા જગન્નાથ ટ્રસ્ટને બિરાદાવ્યું હતું. અંતે આર સી સી સચિન કનકપુરનાં સૂચિત પ્રમુખ પ્રકાશ ભાવસારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી આઇ હોસ્પિટલ નવસારી, શ્રી જગન્નાથ સેવા ટ્રસ્ટ, છઠપુજા સમિતિ અને તેરાપંથ જૈન સમાજનો તથા આરસીસી સદસ્ય ગોવિંદ મેર, રમેશ શાહ, જયેશ ગોપાલ,પવન જૈન અને પ્રશાંત દેસાઇ જેવા સહયોગીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments