સચિન ખાતે જૈન સમાજે શોભાયાત્રા દ્વારા મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી કરી
- Praja Pankh
- Apr 14, 2022
- 2 min read
પ્રજાપંખ સચીન : કોરોના કહેર વચ્ચે લોકડાઉંનના કારણે બે વર્ષથી ભગવાન મહાવીરના જન્મકલ્યાણ દિનની ઉજવણી સચિન ખાતે કરી ન હતી. ત્યારે આજે બે વર્ષબાદ જૈન પરિવારો દ્વારા સચિનમા છેક પારડી થી શોભાયાત્રા કાઢી ભગવાન મહાવીરના જયનાદ સાથે ભગવાનના જન્મદિનની આસ્થાભેર ઉજવણી કરી હતી અને સહુ જૈન પરીવારો બાળકો મહાવીરમય બની ગયા હતા. આ નિમિતે શોભાયાત્રા સાથે દર્શનાર્થીઓને પ્રસાદી અર્પણ કરાઇ હતી, આજના આ શોભાયાત્રામાં ૮00 થી વધુ જૈન ભાઇ-બહેનો, બાળકો, વરિષ્ઠો તથા યુવા ભાઈ બહેનો પધાર્યા હતાં. આજે બે વર્ષ બાદ સચિન ખાતે વસતા જૈન પરિવારોએ પોતાના ઇષ્ટદેવ મહાવીર ભગવાનની જન્મજયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પરિવારજનોએ બગી મા બેઠેલા મહાવીર ભગવાનની તસ્વીરની પૂજા અર્ચના તથા ભજનકિર્તન અને માતા ખોડીયાર મંદિર પાસે ગરબા કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પવનભાઇ જૈન પાસેથી વધુ વિગત જાણી તો, તેમણે કહ્યું કે મહાવીરનો એક મંત્ર છે જીવો ઑર જીને દો, આ મંત્રને અમે પણ માનીએ છીએ. મહાવીર ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દરમિયાન થઈ ગયાં. તેમણે વિહારમાન જૈન સિદ્ધાંતોનો પાયો નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા અને અંતિમ તીર્થંકર હતાં. મહાવીર સ્વામીનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લાના પટનાથી 29 માઇલ દુર બેસઘા પટ્ટી' નજીક આવેલા કુંડલગામમાં થયો હતો. રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે તેઓ રાજકુમાર તરીકે રહ્યાં હતાં. 30 વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું. આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો. તેઓ જીવો ઑર જીને દો ને ધ્યાને રાખી, માનવ પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતન કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી હતી આમ અમે દર વર્ષે એમની યાદમાં જન્મ જયંતી ધામધુમથી ઉજવિએ છીએ.
Comments