સચિન ખાતે ગણેશજીના અનેક ભાવિક ભક્તોએ ઘર આંગણે શ્રી જી નું વિસર્જન કર્યું....
- Praja Pankh
- Sep 29, 2023
- 2 min read
શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળનાં આયોજકોનું જાહેર સન્માન ખુદ મેહુલ ભાઈ પટેલ, એસીપી આર. એલ. માવાણી અને પી આઇ આર.આર.દેસાઇએ કર્યું
પ્રજા પંખ સચિન: મિત્રો યાદ કરો કોરોના કાળના કારણે નદી તળાવો પર પ્રતિબંધના લીધે ગણેશજીના ભાવિકોએ ઘરેજ ગણેશજીનું વિસર્જન કરવું પડ્યું હતું. જેમાંથી અનેક ભાવિક ભક્તો હવે પરિવાર પ્રેમી બની ગયા જેથી એ નાના કુંડમાં ગણેશ વિસર્જનની પ્રથા આજે પણ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના કહેવા પ્રમાણે શરૂ રાખી છે. કેમ કે, સુરત ગણેશ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ મેહુલ પટેલ કે જેઓ ૧૯૯૯ થી ઉત્સવ સમિતિ સાથે જોડાયેલા છે તેમના અનુભવ નો નિચોડ અને સમિતિની ગાઈડ લાઈન બાબતે આ વખતે પણ સ્થાનિક વોર્ડ ૩૦ નાં બેસ્ટ ગણેશના નિર્ણાયક ગણોની મિટિંગમાં ચર્ચા કર્યા બાદ એ નિર્ણાયકોએ પણ એમની વાત અને આચારસંહિતા વિશે ગણેશ સ્થાપકોની સામે મૂકી હતી ત્યારે અનેકોએ પર્યાવરણ જાળવણી માટેના હકારાત્મક વલણ અપનાવવા બાહેંધરી આપી હતી અને કોરોના સમયથી ચાલતી આવેલ પરંપરા જાળવી મીની કુત્રિમ નાનું કુંડ તૈયાર કરી સચિન ખાતેના અનેક સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવેલ. આ બાબતે શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળનાં આયોજકોનું જાહેર સન્માન ખુદ મેહુલ ભાઈ પટેલ, એસીપી આર. એલ. માવાણી અને પી આઇ આર.આર.દેસાઇએ કર્યું હતું અને કહ્યું હતું કે, આવું કરવાથી પર્યાવરણ નું સંતુલન જળવાઈ રહે છે. આવા પ્રયત્ન બધાએ હાથ ધરવા જોઈએ. સ્થાનિક સચિન હાઉસિંગમાં આજે ગણેશ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ મેહુલ પટેલ તેમજ ખાસ આસિ.પોલીસ કમિશનર આર. એલ.માવાણી સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર આર.આર.દેસાઇ તેમજ અનેક ગણેશ આયોજકોનાં સાનિધ્યમાં આ વખતે પણ ભક્તોએ ખુશીથી ગણપતિ બાપ્પાને ઘર આંગણે વિદાય આપી હતી અને આવતા વર્ષે ફરીથી જલ્દી આવવાની પ્રાર્થના પણ કરી હતી. દસમા દિવસ નાં અંતે વિસર્જન સમયે આવી પ્રાર્થનાથી જીવનના સંકટ દૂર થાય અને સુખ અને સમૃદ્ધિ આવે છે એવું ભાવિકભક્તોનું કહેવું છે. વધુમાં અનેક ભક્તોને આર એલ માવાણી એસીપી સાહેબ એ કહ્યું કે, દૂર વિસર્જન માટે જઈને ચાર કલાક બગડવાના એના કરતા અહી પંડાલ પર વધુ બે ગરબા કે ભજનો ગાવા મળે, દરેક ઘરવાળા ગણેશના વિદાયમાં આવે જેનાથી સોસાયટી મોહલ્લા ની એકતામાં વધારો થાય છે માટે દર વર્ષે નાના કુંડ બનાવી તેમાં વિસર્જન કરતાં રહો. તો પર્યાવરણમાં ઘણો સુધાર આવશે, ખર્ચ બચશે, ડીઝલ પેટ્રોલ ઇંધણ બચશે અને ખાસ સહુનો સમય બચશે આમ આર. એલ. માવાણી એસીપી અને સમિતિ ઉપપ્રમુખ મેહુલ પટેલ એ દિશા સૂચન કર્યું હતું જેમાં ઘણાં આયોજકો ઘર આંગણે નાના કુંડમાં વિસર્જન કરશે જણાવ્યું હતું.
コメント