સચીન કનકપુર થી ભાઈબીજના દિને સાંઈ ભક્તો પદયાત્રા કરી શિરડી દર્શને જશે.
- Praja Pankh
- Oct 22, 2022
- 1 min read

.. છેલ્લા ૧૩ વર્ષથી માજી કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા આ શિરડી પદયાત્રાનું સફળ આયોજન દર વર્ષે કરે છે...
આ વર્ષે સતીશ શાહ ભામાશા પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે......
વધુ સહકાર તથા સેવાઓ આપવા ભગુભાઇ ભરવાડ પણ તપ્તર ......


પ્રજાપંખ સચિન : શ્રદ્ધા સબૂરી જેના મનમાં છે તેઓને સાઈબાબા ના અનેક આશીર્વાદ હોય છે. ત્યારે આઈ શ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા તારીખ તા.27/10/22 બુધવાર ( ભાઈબીજ) ના દિને એક વિનામૂલ્યે પદયાત્રા સચિન થી વાયા મરોલી, વાંસદા અને સાપુતારા થઇ શિરડી બાબાના ધામ જવા રવાના થશે, જેમાં ૧૫૧ ભાવિક ભકત જોડ઼ાશે, ત્યારે સચિનના સતીશ શાહ (ભામાશા) કહેવાતા દાનવીર એ આયોજકના આવા ધાર્મિક આયોજનમાં તેઓ પણ સહભાગી થયા છે અને સચીનથી ઉપડતા સર્વ સાઈ પદયાત્રીઓ ને શિરડી
જતા સુધી કોઈ પ્રકારની તકલીફ ના પડે જે માટે રોજ ના જમણવારનું સીધું પાણી અને અન્ય વસ્તુઓ એમને ટીકુભા ને સુપ્રત કરી, ત્યારે આવા ભામાશાનો આભાર માજી કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા ૯૯૨૫૩૬૦૦૦૦ તથા પદયાત્રીઓ
માની રહ્યા છે. સચીન (સુરત) થી શિરડી આ પદયાત્રા
તારીખ ૨૭/૧૦/૨૨ ના સવારે 4 કલાકે ખોડિયાર મંદીર કનકપુર થી જય સાંઈનાથ ના નારા સાથે પ્રસ્થાન કરશે, એવું ટીકુભા અને ભગુભાઇ ૯૮૨૫૧૦૯૦૧૯એ જણાવ્યું છે ટીકુભા સાથે અન્ય બે મિત્ર ભૂષણભાઈ 9825693934, અને શાંતિલાલ 7405301586, પણ આ વિનામૂલ્યે પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રામાં હજી કોઈ ખોટ પડશે તો ભગુભાઇ ભરવાડે મદદ કરવાનું કહ્યું છે.
આ યાત્રામાં અંદાજિત 151 સાઈ ભક્તો જોડાશે એવું ટીકુભાએ જણાવ્યું છે.
Comments