સચિન-કનકપુરમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જિનો બલિદાન દિવસ મનાવાયો
- Praja Pankh
- Jun 23, 2021
- 1 min read
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના મુળ સ્થાપક અને મહાન શિક્ષણશાસ્ત્રી એવા ડોકટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર વોર્ડ-૩૦ ના કનકપુર સચિન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ, બલિદાન માટે કરેલા કામોને યાદ કર્યા . . .

સચિન પ્રજાપંખ : ડોકટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ કલકત્તામાં 6 જુલાઈ 1901 માં થયો, હતો, ભણી ગણીને ઉચ્ચ ડિગ્રીઓ મેળવી તેઓ ડોકટરેટ કહેવાયા, પણ અફસોસ માત્ર ૫૦ વર્ષનાં યુવાવયે તેઓ 23 જૂન 1953ના રોજ આ દુનિયાને અલવિદા કહી ગયા. 1953 માં જમ્મુ-કાશ્મીરમાં સ્વર્ગવાસ થયો તે ૨૩-૦૬-૧૯૫૩ તારીખ નિમિત્તે આજે આપણે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. વોર્ડ-૩૦ સંગઠન ઉપ પ્રમુખ ચંદ્ર કિશોર સિંહના ઘરે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોઅજિત કરાયો હતો જેમા ભાજપા કાર્યકર્તા, નગરજનો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. ડો. શ્યામા પ્રસાદ મુખર્જિ ભારતીય રાજકારણીતો હતા પંરતુ તેઓ બેરિસ્ટર અને શિક્ષણવિદ્ પણ હતા, , જેમણે સ્વ. વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પ્રધાન મંડળમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે કામ કર્યું હતું. એક વખત લિયાકત સંધિનો વિરોધ કરતા, સ્વ. મુખર્જીએ સ્વ. નહેરુના મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓએ (આર એસ એસ ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહાયથી 1951 માં ( ભારતીય જનસંઘ ) આજની ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ 1943 થી 1946 દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ પણ હતા. એવા પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના મુળ સ્થાપક અને મહાન શિક્ષણશાસ્ત્રી એવા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર વોર્ડ-૩૦ ના કનકપુર સચિન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના મુળ સ્થાપક અને મહાન શિક્ષણશાસ્ત્રી એવા ડોકટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર વોર્ડ-૩૦ ના કનકપુર સચિન દ્વારા બલિદાન દિવસના કાર્યોને પણ યાદ કરાયા . . .
Kommentare