top of page

સચિન ઔદ્યોગિક વસાહતનાં પ્લોટ હોલ્ડરો માટે નોટીફાઈડ હેલ્પલાઈન કસ્ટમર કેર નંબરની સુવિદ્યા લોન્ચ કરાઈ.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 6, 2023
  • 1 min read

સચિન પ્રજા પંખ : તા. ૦૩/૧૦/૨૩ ને મંગળવારનાં રોજ સચીન નોટીફાઈડ એરીયા ઓથોરીટી ધ્વારા સચીન ઔદ્યોગિક વસાહતનાં ૨૨૫૦ પ્લોટ હોલ્ડરોની રોજીંદી ફરીયાદોનાં ત્વરીત નિકાલ માટે નોટીફાઈડ હેલ્પલાઈન કસ્ટમર કેર નંબર :- ૯૧૦૪૦૪૦૯૦૧ શરૂ ક૨વામાં આવેલ છે. જેનો સમય

સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦

સુધીનો રખાયો છે. ઉદ્યોગકારોની રોજેરોજની ફરીયાદો જેવીકે, ગાર્બેજ કલેકશન, સ્ટ્રીટ લાઈટ, ગટર સફાઈ, પાણી પુરવઠા, રો–રસ્તા રીપેરીંગ, તેમજ અન્ય કોઈ નોટીફાઈડ સબંધિત ફરીયાદ હોય તેનાં ઝડપી નિરાકરણ માટે આ

સુવિઘા શરૂ કરવામાં આવી છે. ફ૨ીયાદ નોંધાવ્યા બાદ નોટીફાઈડ તરફથી લાવેલ ફરીયાદનાં નિરાકરણની જાણ ફરીયાદી ઉઘોગકારને OTP ઓટીપી મળ્યેથી થશે. આમ સચીન નોટીફાઈડ એરીયા ઓથોરીટી અને સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનનાં સહયારા પ્રયાસથી સમગ્ર ઉદ્યોગકારોનાં હીતમાં આ અદ્યતન સુવિઘા ઉદ્યોગકારોમાં સ્વચ્છતા અને નોટીફાઈડની સર્વિસ સારી રીતે મળી રહે તેવી જાગૃતતા માટે ચાલુ કરવામાં આવી છે, જેનો સીધો લાભ સચીન વસાહતનાં તમામ પ્લોટ હોલ્ડરોને મળશે એવી આશા વ્યકત કરીએ છીએ. નોટીફાઈડ હેલ્પલાઈન કસ્ટમર કેર નંબરની સુવિદ્યા લોંચીગમાં નોટીફાઈડ ચીફ ઓફીસરશ્રી પ્રિયકાંત મેનત, સચીન ઈન્ડ. સોસાયટીના પ્રમુખશ્રી નિલેશ લીંબાસીયા, સેક્રેટરીશ્રી મયુર ગોળવાળા, ઉપપ્રમુખશ્રી નિલેશ ગામી, ડીરેકટરશ્રી કીશોરભાઈ પટેલ, શ્રી ભીખુભાઈ નાકરાણી, શ્રી પ્રદીપ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ. એવું મયુર જે.ગોળવાલા સેક્રેટરી એ જણાવ્યું....

 
 
 

コメント


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page