સચિનમાં AtoZ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા દંત ચિકિત્સા વિભાગ શરુ કરાયો. . . . .
- Praja Pankh
- Aug 9, 2021
- 1 min read
સચિન વિભાગના આજુબાજુના વિસ્તારના નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય ચિકિત્સા વ્યાજબી અને રાહત દરે ઉપલબ્ધ થાય એ હેતુથી દંત ચિકિત્સા વિભાગ તરીકે એક વધુ નવું સોપાન AtoZ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઉમેરવામાં આવ્યું છે અહી તમામ પ્રકારની ઓ પી ડી ફાઈલ ચાર્જ ફ્રી હોય છે : ડિરેક્ટરશ્રી યોગેશભાઈ સૂર્યવન્સી
સચિન પ્રજાપંખ : શ્રાવણ સુદ એકમ અને શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે હોસ્પિટલમાં શ્રી સત્યનારાયણ ભગવાન ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી નીરવભાઈ પટેલ, દેવાંગભાઈ પટેલ પરિવાર ઉપસ્થિત રહ્યો અને દંત ચિકિત્સા વિભાગ નું ઉદઘાટન ટ્ર્સ્ટી અને મેનેજિંગ ડીરેકટર યુવા એવા નીરવભાઈ પટેલ ના પૂજ્ય માતાશ્રી શ્રીમતી જ્યોતિકાબેન રમેશભાઈ પટેલ ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી સત્યનારાયણ ભગવાન ની કથામાં પટેલ પરિવારના પુજ્ય કાકા ગીરીશભાઈ પટેલ અને કાકી શ્રીમતી જયશ્રીબેન ગીરીશભાઈ પટેલ તથા પુત્ર શિવાંગભાઇ યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સચિનમાં AtoZ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા દંત ચિકિત્સા વિભાગ શરુ કરાયો તે પ્રસંગે હોસ્પિટલ ડિરેક્ટરશ્રી યોગેશભાઈ સૂર્યવન્સી અને સમગ્ર સ્ટાફ તથા સામાજિક સેવા સાથે જોડાયેલ ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ - સચિન ના ટ્રસ્ટીઓની પણ વિશેષ હાજરી રહી હતી.
Comments