સચિનમાં ઉતરાયણ નિમિત્તે બ્રાહ્મી સુંદરી મંડળ દ્વારા દાન કરવામાં આવ્યું
- Praja Pankh
- Jan 14, 2021
- 1 min read
સચીન : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે
આપણું ગગન વિશાળ છે જેમાં અનેક તારા મંડળો, ગ્રહો આવેલા છે અને તેનો સીધો સંપર્ક આપના પૃથ્વી પર રહે છે. આપને જાણીએ છે તેમ સુર્ય મકર રાશિ તરફ ૧૪ જાન્યુઆરીના રોજ પ્રયાણ કરે છે. ત્યારે તેને મકર સંક્રાંતિ કહે છે અને આ દિવસે ગાયોને તથા ગરીબોને દાન કરવાનો મહિમા રહ્યો છે. સચીન ખાતે આવેલ બ્રાહ્મી સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ દ્વારા આજે મકર સંક્રાંતિ નિમિત્તે ગરીબોને અન્ન , નવા કપડાં , બુટ, ચપ્પલ, વાસણો, કંબલ, તિલ ગુડ અને મમરાના લાડુ, અનાજ , ખાવા પીવાના પદાર્થો તેમજ અન્ય સાધ્ય સામાન દાન કરવામાં આવ્યાં. સંસ્થાની પૂજા પીછોલિયાયે જણાવ્યું કે, અમારી સંસ્થા અંકલેશ્વરથી વાપી વલસાડ સુધીની છે જેમાં ભારતના દરેક પર્વ મનાવવામાં આવે છે ખાસ બેટી બચાઓ બેટી પઢાઓ બાબતે જનજાગૃતિ લાવીએ છીએ આજે ચોથા વર્ષે
મકર સંક્રાંતિ નિમિત્તે ગરીબોને અન્ન , નવા કપડાં , બુટ, ચપ્પલ, વાસણો, કંબલ, તિલ ગુડ અને મમરાના લાડુ, અનાજ , ખાવા પીવાના પદાર્થો તેમજ અન્ય સાધ્ય સામાન દાન કરવાની મળે
લ સૂચના મુજબ અને અંદાજિત ૨૦ હજાર સુધીની ઉપરોક્ત વસ્તુઓ અહી સુડાના ગરીબ પરિવારોને અમે બધી કન્યાઓ દ્વારા અર્પણ કરી રહ્યા છીએ આ કાર્યક્રમ અમારા વડીલ સુરેશ પીછોલિય નાં માર્ગદર્શન માં કરી રહ્યા છીએ. અમને મળેલ દાન સમગ્ર સચિનના શ્રાવક બંધુઓ દ્વારા પ્રાપ્ત થયેલ છે જેમણે જેમણે વસ્તુ કે દાન આપ્યું તેમનો હુ કોષાધ્યક્ષ પૂજા પીછોલિયા આભાર વ્યક્ત કરું છું.
Yorumlar