સચિનની ૧૬ મી રથયાત્રા: નિર્વિઘ્ને પૂર્ણ....
- Praja Pankh
- Jul 1, 2022
- 2 min read
શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થતાં જગન્નાથ ટ્રસ્ટએ વહીવટી, પોલીસ તંત્ર અને નગરજનોનો માન્યો આભાર માન્યો...
સચિન પ્રજા પંખ : જગતના નાથ જગન્નાથ ફરી બે વર્ષ બાદ સચિન ખાતે નગરયાત્રાએ નીકળ્યા હતાં. કોરોના વાયરસ મહામારીના કારણે બે વર્ષ રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરીને દર્શન આપતી હતી. આજે સચિનની ૧૬ મી રથયાત્રા એક ઐતિહાસિક કહી શકાય, કારણ કે ઈતિહાસમાં પહેલીવાર ધોધમાર વરસાદમાં આટલી મોટી સંખ્યામાં ૨૫૦૦ થી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા, રથયાત્રાના દર્શને અનેક અગ્રણીઓ, નેતાઓ તથા નગરજનો પધાર્યા હતાં, જગન્નાથ મંદિરથી રથયાત્રા બપોરે ૧ કલાકે નીકળી સાંજે ૬ વાગે માસીના ઘરે સ્લમ બોર્ડ પોહંચી હતી, જોકે આજે મેઘમલ્હાર મન ભરીને વરસ્યા હતાં પરંતુ ભગવતી સ્ટોર પાસે સત્ય સાઈ સમિતિ દ્વારા જ્યારે પ્રસાદી વિતરણ થયું ત્યાં સુધી વર્ષાએ અચાનક વિશ્રાંતિ લઈ લીધી હતી. સાથે સાથે રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ એકદમ એલર્ટ ખડેપગે ફરજ બજાવતા નજરે પડ્યું હતું. આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રામાં નીકળ્યા હતાં, આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો હતો. આ સાથે ૧૫૦ જેટલા જગન્નાથ સેવા ટ્રસ્ટ નાં સ્વયંસેવકો પણ સાથે હતાં. આજની રથયાત્રામાં અહી એકજ રથ હતો સાથે તેમાં પાણી અને પ્રસાદી તથા ભજન નું વાહન તેમજ 2500થી વધુ ભાવિકો ભક્તો જોડાયા હતાં. રથ યાત્રા મુખ્ય રથયાત્રા કનકપુર થી શરૂ થઈ રાજ માર્ગથી, સચિન સ્ટેશન રોડ, એલ. ડી. હાઇસ્કુલ થઈ સચિન પોલીસ સ્ટેશન થઈને સચિન રામ મંદિર દર્શન કરીને પરત વાયા સચિન પોલીસ સ્ટેશન રોડ થઇને સ્લમ બોર્ડ માસીના મંદિર પર તેનું સમાપન થયું. સચિન પી આઇ આર આર દેસાઇ નાં જણાવ્યા મુજબ સુરક્ષા-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ કમિશનર દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનર, બે નાયબ પોલીસ કમિશનર, પાંચ એસીપી, અન્ય પીઆઈ, અને પીએસઆઈ સાથે મહિલા પીએસઆઈ તેમજ પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષાની દૃષ્ટિએ પણ ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. આજે સફળ રથયાત્રામાં નીચે મુજબના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એફ ડીવિઝનના એ.સી.પી. આર.એલ.માવાણી તથા ઝોન ૩ ના ડીસીપી સાગર બાગમાર, તથા સ્થાનિક સચીન પી આઇ આર આર દેસાઇ સાથે પી એસ આઇ મચ્છર, દેસાઇ અને સંગાડા અને જી આઇ ડી સી સચિન પી આઇ બગદાનીયા, પાંડેસરા પી આઇ રાઠોડની ઉપસ્થિતિ રહી હતી અને શાંતિનાં માહોલમાં જગન્નાથ યાત્રા પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા માટે જગન્નાથ સેવા ટ્રસ્ટે સારી જહેમત ઉઠાવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થતાં જગન્નાથ ટ્રસ્ટે વહીવટી, પોલીસ તંત્ર અને નગરજનોનો માન્યો આભાર માન્યો...
Comments