top of page

સચિનના સ્વ. ડો. રણજીતસિંહ વાંસીયા જી નાં ત્રયોદશ નિમિત્તે ૧૧ શાળાઓમાં બટુક ભોજન કરાવ્યું ....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 3, 2022
  • 1 min read


સચિન પ્રજાપંખ : સચિન વિસ્તારના સહુના ચહિતા, પરોપકારી ભાવનાવાળા, ધમઁનિષ્ઠ સ્વ. ડૉ . રણજીતસિંહ વાંસિયાજી નાં ત્રયોદશ (તેરમા) નિમિતે સચિન અને આજુબાજુ ના ગામની 11 પ્રાથમિક શાળાઓ અને અન્ય સંસ્થાઓ તથા પલસાણા પ્રાથમિક શાળામા એમના સુપુત્ર શ્રી ગિરિરાજસિહજી વાંસિયા દ્વારા બટુક ભોજન કરાવવામા આવ્યુ અને એમને

પુણ્યશાળી આત્માને સ્નેહાંજલિ આપી વંદન કરાયા...સચિન વિસ્તારના ભામાશા તરીકે જાણીતા એવા સ્વ.ડોક્ટર રણજીત વાંસિયા સાહેબની ગત રોજ

ત્રયોદશી નિમિત્તે અને

શ્રદ્ધાંજલિ રૂપે સચીન કેન્દ્રની સચિન હૈદરગંજ, પારડીકણદે, કનકપુર ગુજરાતી, કનકપુર હિન્દી, કનકપુર ઉડિયા, કનસાડ, પાલી, તલંગપુર અને ઉમ્બેર પ્રાથમિક શાળાના આશરે ચાર હજાર જેટલા બાળકોને ગિરિરાજ સિંહ વાંસિયાં પરિવાર દ્વારા તિથિ ભોજન પૂરું પાડ્વામાં આવ્યું હતું. બાળકોના દાદા એવા શાળાઓમાં ઇનામ વિતરણ કાર્યક્રમ, લાઇબ્રેરીના પુસ્તકો તથા અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં દાન આપી બાળકોનું તથા શાળાના શિક્ષકોનો ઉત્સાહ વધારનાર પરોપકારી સજ્જન માણસ ના ઉમદા કાર્ય ક્યારે બંધ થતા નથી. તેવો આજે હોય કે ના હોય પણ તેમના ઉમદા કાર્ય આપણને બધાને પ્રેરિત કરતા જ રહેતા હોય છે. સચિન વિસ્તારના ભામાશા સ્વ.ડૉ રણજીતસિંહ વાંસિયા સાહેબને સમગ્ર શાળાઓના બાળકો, શિક્ષકો, વાલીગણ તથા નગરજનો દ્વારા પ્રાર્થના સાથે ભાવપૂર્વક હૃદયગમ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે " આપેલું અને હોમેલું તેમનું તેમ જ રહે છે એટલે ક્યારેય ખૂટતું નથી."

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page