સચિનના યુવાનો ધૈર્યરાજના પડખે આવ્યા
- Praja Pankh
- Mar 26, 2021
- 1 min read
સચિનના મુખ્ય જાહેર સ્થળો પર આ ટીમ દાનવીરો પાસે મદદની ગુહાર લગાવશે.
સચિન : સચિનના યુવાનોએ ઉઠાવેલી આ મુહિમ ને સફળતા મળે જે માટે અન્ય સંસ્થાઓ પણ જોડાશે અને અમે ખૂણે ખૂણે જઈશું, સચિનના મંદિરો, દુકાનો, બસ સ્ટોપ તથા મુખ્ય રોડ પર, ભાટિયા ટોલ નાકા તથા અન્ય સ્થળે જઈશું એવું અનુજ મિશ્રાએ જણાવ્યું છે અનુજ મિશ્રા એમ બી બી એસ ના સ્ટૂડન્ટ છે અને વિદેશમાં ભણે છે. એમને ખબર છે કે આજની ટ્રીટમેન્ટ સરળ છે પણ મોંઘી હોય છે. એમણે વધુમાં બેનર બતાવતા જણાવ્યુ કે, ગુજરાતનાં મહીસાગર જિલ્લાનો કાનેસર ગામનો આ ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર થયો છે અને આ બીમારી દૂર કરવા 16 કરોડના ઈન્જેકશનની જરૂર છે. આજે સમગ્ર ગુજરાત દાન માટે આગળ આવ્યું છે. જેમાં અમે પણ આ મુહિમમાં સહભાગી થઈ રહ્યા છીએ. અમે એમ નથી કહેતા કે આપ અહી દાન પેટીમાં દાન કરો આપ સીધા એમના એકાઉન્ટમાં દાન કરો પણ બાળકની જાન બચાવો. ધૈર્યરાજ વહેલી તકે રોગ મુક્ત થવો જોઈએ એ અમારી દિલથી લાગણી છે અને એ માટે જ અમે આ બેનરો લઈને બહાર પડ્યા છીએ. અમને આશા છે સચિનની અનેક સંસ્થાઓ સેલિબ્રિટીઓ આ બાળક માટે આગળ આવશે અને ધૈર્યરાજને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જરૂર મળશે.
Comments