સચિનને મળશે 2096 સ્ક્વેર મીટર જગ્યામાં વિશ્રામ ગૃહ, આવતી કાલે લોકાર્પણ : સંદીપ દેસાઈ
- Praja Pankh
- Dec 23, 2021
- 1 min read
સચિન ખાતે વિકાસની વધુ એક કલગીનો ઉમેરો થશે...

પ્રજાપંખ -સચિનના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર સંદીપ દેસાઈનું વધુ એક સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. સુરત નવસારી ટ્વીન સિટી મુખ્ય રોડ પર સચિનમાં વિશ્રામ ગૃહ બને તે માટે સચિન વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ, માજી મંત્રી અને બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજુઆત કરી હતી. સચિન-નવસારી વચ્ચે આવતા સચિનમાં 1.50 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહ બનાવવા માટેની મંજૂરી સાથે સરકારે ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. જેનું ઉદઘાટન આવતી કાલે સવારે ૧૦:૩૦ કલાકે જેનું લોકાર્પણ થશે, તેના ઉદઘાટન સમારોહમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, માર્ગ-મકાનના મંત્રી પૂર્ણેશ મોદી, ધારાસભ્યો પૈકી ઝંખનાબેન પટેલ, ઈશ્વરભાઈ પરમાર, મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ બેંક અને એપીએમસી સુરતના વાઈસ ચેરમેન સંદિપભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
Comentários