top of page

સચિનના ભવિક ભક્તો ને દર્શન આપવા પધારશે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઇ બલરામજી. . .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 22, 2022
  • 2 min read

બે વર્ષબાદ જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી શરુ.....

સચિન : કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઇ શક્યુ નથી, માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું સ્થનિક પરીસરમાં જ આયોજન કરવામાં આવતું હતું. પરંતું આ વર્ષે કોરોનાના નહિવત કેસ હોવાના કારણે ભવ્ય રીતે ભગવાન જગન્નાથ્ની 16 મી રથાયાત્રા યોજવાની થશે. જેથી સચિન ખાતે આવેલા જગન્નાથ રથ યાત્રા ની તયારી રુપે જગનાથ મંદિરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે રથમાં બેસી વિહારમા નિકળશે, અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવે છે. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. મંત્રોચાર સાથે વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે. ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. રથ યાત્રાની પુર્વ તૈયારી રુપે સુરત પોલિસ વિભાગ દ્વારા ખાસ સચિન ખાતે એક મિટિંગનું આયોજન હાથ ધરવામા આવ્યું હતું. જેમા એફ ડીવિઝનના એ.સી.પી. આર.એલ.માવાણી તથા ઝોન – 3 ના ડીસીપી સાગર બાગમાર, તથા સ્થાનિક સચીન પી આઇ આર આર દેસાઇ સાથે પી એસ આઇ મચ્છર, દેસાઇ અને સંગાડા ઉપસ્થિત રહયા હતાં અને અનેક સુચનો અને માર્ગદર્શન તથા રથયાત્રાનું આયોજન શાંતિપુર્ણ અને પ્રેમભાવના ના માહોલમાં પુર્ણ થાય જે માટેના પોલિસ અધિકારિઓ દ્વારા ખાસ સલાહ સુચનો અને માર્ગદર્શન અપાયા હતાં. વધુમા આજની રથાયાત્રાની મિટિંગમાં ડી.જી.વી.સી.એલ,અધિકારીઓ, મહાનગરપાલિકા સચીન ઝોન બી ના આરોગ્ય તથા અન્ય અધિકારીઓ, અને જગન્નાથ સેવા ટ્રસ્ટ ના સહુ ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણીઓની વિષેશ હાજરી રહી હતી અને શાંતી પુર્ણ માહોલ રથાયાત્રા પુર્ણ થાય જે માટે ખાસ ટ્ર્સ્ટ દ્વારા તકેદારીરુપે 200 સ્વયંસેવકોની એક ટીમ એક યુનિફોર્મમાં સજ્જ રહેશે. રથાયાત્રાનો રૂટ પણ જે વર્ષોથી છે જેમા કોઇ ફેરફાર કરવામા આવ્યો નથી, દર વર્ષે દરેક ડિપાર્મેંટ મદદ કરે છે તથા ખાસ પોલિસ બંદોબસ્ત મળે છે, કોઇ અજુગતું ન થાય તેની ખાસ તકેદારી રાખીએ છીએ એવું પધારેલ પોલિસ અધિકારિઓને સહુ ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું આ પ્રસંગે ટ્ર્સ્ટીઓ અને સદસ્યોમાં ગિરિશ આહીર, લક્ષ્મણ માસ્ટર, ભગીરથ બેહરા, નર્સિંહ બેહરા, ગોપી લિંકા, ટિલુભાઇ અને માજી નગરસેવક વિજયભાઇ તેમજ અન્ય ટ્રસ્ટિગણ તથા સમાજના સદસ્યો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page