શાળા નંબર ૨૪ માં ૭૭૦ વિદ્યાર્થીઓને એકલાખ પરચીસ હજારની રકમની શૈક્ષણિક સામગ્રી બાળકોને ભેટ આપાઇ.....
- Praja Pankh
- Oct 22, 2021
- 1 min read
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રીમતી ઇંદીરાબેન રમેશભાઈ પટેલના આર્થિક સહયોગથી કુલ ૭૭૦ વિદ્યાર્થીઓને એકલાખ પચ્ચીસ હજારની રકમની શૈક્ષણિક સામગ્રી બાળકોને ભેટ આપી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા બિરાજમાન હતાં.....
સચિન પ્રજાપંખ : સુરત મા વરાછા મા આવેલ Smc સંચાલીત ૨૪ શાળામાં 'દરિયાયારનો ઋણાનું ભાવ" નામ આપી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. કવિશ્રી દયારામ પ્રા શાળાના પૂર્વ આચાર્યા તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રીમતી ઇંદીરાબેન રમેશભાઈ પટેલના આર્થિક સહયોગથી કુલ ૭૭૦ વિદ્યાર્થીઓને એકલાખ પચ્ચીસ હજારની રકમની શૈક્ષણિક સામગ્રી બાળકોને ભેટ આપી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન પ્રફુલ ભાઈ શિરોયાના અધ્યક્ષસ્થાને 'તથા દીપ પ્રાગટ્ય હોસ્પિટલ સમિતીના ચેરમેન રાજેશભાઈ જોળિયાએ કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે શ્રી વિમલભાઇ દેસાઇ (શાસનાધિકારીશ્રી સુરત ) તથા હોમગાર્ડ કમાન્ડટ શ્રી ડો પ્રફુલ ભાઈ શિરોયા ( લોક દ્રષ્ટી ચક્ષુ બેન્ક , રેડ ક્રોસ & સક્ષમ સુરત ના હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં શિક્ષણ સમિતીના સભ્યશ્રી વિનોદભાઈ ગજેરા તથા નિરંજનાબેન જાની તથા યુ.આર.સી. જિગ્નેશભાઈ ઠાકર હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને મહાનુભાવોએ સંબોધન કર્રતા જનાવચુ હતું. કે સારસવત મિત્રો જે શાળામા સારું શિક્ષણ આપી સંગઠીત થઈ ને કાયઁ કરે છે તે શાળા માંથી સારા નાગરિક , ડોકટર , એનજીનયરવ, રાષ્ટ્ર ને વફાદાર વ્યકતી ના નીરમાન કરનાર સારસ્વતે ને તથા દાતાને અભિનંદન આપી ઊપસ્થીત વાલી ઓને વીઘ્યાથીઁ ઓ અને સ્કુલ ને સહયોગ આપવા જનાવેલ સહુને આચાર્યશ્રી નરેન્દ્રભાઈ પટેલે ગાંધીજીની આત્મકથાના પુસ્તક અને ખાદીના રૂમાલથી આવકાર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાઘવજી ડાભીએ કર્યું. સમગ્ર સંક્લન કિશોર પરમાર તથા સ્ટાફે કર્યું. આભાર દર્શન દિપક પટેલ દ્વારા થયું.
Comments