શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા–સુરતમાં ઉત્તરાયણપર્વે ધનુર્માસની કથાની પૂર્ણાહૂતિ ને અન્નકૂટ મહોત્સવ.
- Praja Pankh
- Jan 15, 2022
- 1 min read

સચિન: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા - સુરત ખાતે ઉત્તરાયણનાં પાવન પર્વે ધનુર્માસની કથાની પૂર્ણાહુતિ અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનને રાજી કરવા ધનુર્માસની કથા અને મંગળા આરતીનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં આખો ધનુર્માસ ભાવિક ભક્તો મંગળા આરતીનાં દર્શનાર્થે પધાર્યાં હતાં અને પૂજનીય સંતોના મુખેથી કથામૃતનું રસપાન કર્યું હતું. સંત શિરોમણિ શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી (મહંત, શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા – સુરત), સંત શિરોમણિ શ્રી પ્રેમસ્વરૂપસદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી શાંતિનિલયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સત્યભૂષણદાસજી સ્વામી વગેરે સંતોએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું.
ઉત્તરાયણનાં પર્વે પારાયણની પૂર્ણાહૂતિ અને અન્નકૂટનું આયોજન કર્યું હતું. સૌ ભક્તો પોતપોતાના ઘરેથી ભક્તિભાવથી પ્રસાદ તૈયાર કરીને લાવ્યા હતા, જે અન્નકૂટ રૂપે ધરાવવામાં આવ્યો હતો. ધૂન, થાળ, આરતી, વગેરે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભકતોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
Comments