top of page

શ્રી સત્યસાઈ આરોગ્ય કેન્દ્ર સચિનમાં ફિઝિયો થેરાપી સેન્ટર શરૂ થયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 11, 2021
  • 1 min read

સચિન : આપણાં શરીરનો દુ:ખાવો કે પગનો દુ:ખાવો કે અન્ય દુ:ખાવો થતો હોય તો હવે દૂર જવાની જરૂર નથી. કેમ કે, ફિઝિયોથેરાપી એક સૈધ્યાંતિક ચિકિસ્તકીય વિજ્ઞાન છે અને જેની સેવાકીય પ્રવૃતિઓ હવે સચિનના સત્યસાઈ આરોગ્ય કેન્દ્રમાં દરેકને પ્રાપ્ત થશે. સચિન પ્રશાંતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સત્ય સાઈ આરોગ્ય કેન્દ્ર , સચિન ના સંયુક્ત ઉપક્રમે 11 માર્ચ થી ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત થઈ છે. જેનું ઉદ્ઘાટન આજે રાખવામા આવેલ હતું. આજના સેવાકીય પ્રવૃતિના મુખ્ય ઉદઘાટન સત્ય સાઈ ઓલ ઈન્ડિયા કાઉન્સીલ સભ્ય શ્રી મનોહરભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્યમાં પણ મનોહરભાઈ, ડો.રણજીતસિંહ વાંસીયા, પ્રમુખ હર્ષદભાઈ, દેસાઇ, નિતિનભાઈ નાયક, મહેન્દ્રભાઇ વાંસીયા,, અવિનાશભાઇ, પરિમલભાઈ, રઘુવીરભાઈ, રાજેશભાઈ દેવરે , જયેશભાઇ દેસાઇ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રીના જણાવ્યા મુજબ આ સાઈ સવિતા ફિઝિયોથેરાપી સેન્ટર (ઓર્થો) ડો. મલ્લિકાબેન ભાવિન રાઠોડના દેખરેખ હેઠળ કાર્યરત રહેશે. એમના માર્ગદર્શનમા બિલકુલ રાહત દરે આ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જેમાં પીડિયાટ્રીક ફિઝિયોથેરાપી, સ્પોર્ટ્સ ફિઝિયોથેરપી, આર્થોપેડિક, ન્યૂરોલોજિકલ, કારડિયો / પલ્મનારી , 50 થી વધુ ઉમરનાઓ માટે જીરિયાટ્રીક, સ્નાયુ અને સાંધાની મજબૂતી, રિહેબિલેશન અને પેઇન મેનેજમેન્ટ પ્રિ એન્ડ પોસ્ટ સર્જરી અને પ્રેગનન્સી પછી પહેલાની જેવી તમામ પ્રકારની કસરતો અહી સોમવાર થી શનિવાર બપોરના 4 થી સાંજે 7 કલાક સુધી કરાવવામાં આવશે જણાવ્યું. ઉદઘાટન પહેલા સત્ય સાઈની આરતી અને ભજન કરાયા અને મનોહરભાઇએ પ્રવચનમાં કહ્યું કે, બાબા પોતે સેવામાં માને છે અને આપણને દિશા બતાવે છે કે માનવ કલ્યાણનું કાર્ય કરો. અને એક વધુ માનવ કરી સચિનમાં થઈ રહ્યું છે. આજના પ્રસંગે બાબાના અનેક સેવકો પધાર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page